PHOTOS

MAHALAXMI VRAT 2023: આજે આ પાંચ રાશિઓ પર પ્રસન્ન થશે લક્ષ્મીજી, આ લોકોને થશે મોટો ધનલાભ

Luckiest Zodiac Sign: શુક્રવારને લક્ષ્મીજીનો વાર કહેવામાં આવે છે. આ દિવસે માતાજી પોતાના ભક્તો પર ખુબ કૃપા કરતા હોય છે. એટલું નહીં આ દિવસ ભૌતિક સુખ-સુવિધાઓના ભગવાન શુક્રદેવને સમર્પિત છે. 6 ઓક્ટોબર, એટલેકે, આજે શુક્રવારના રોજ સર્વાર્થ સિદ્ધિ યોગ, શિવ યોગ અને આર્દ્રા નક્ષત્રનો શુભ સંયોગ થઈ રહ્યો છે, જે કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેશે. જાણો...

Advertisement
1/6
આજે અનેક શુભ સંયોગો બની રહ્યા છે
આજે અનેક શુભ સંયોગો બની રહ્યા છે

6 ઓક્ટોબર એ અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ છે. આ દિવસે ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ઉપરાંત, આજે ઘણા શુભ સંયોગો બની રહ્યા છે, જે ઘણી રાશિઓ માટે શુભ સાબિત થશે. આવી સ્થિતિમાં પાંચ રાશિના લોકો માટે શુક્રવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમને વધુ સારા પરિણામો મળશે અને ભાગ્ય તેમની પડખે રહેશે. જાણો આ રાશિઓ વિશે.

2/6
વૃષભ
વૃષભ

આ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે. આ લોકો પોતાના શત્રુઓ પર વિજય મેળવવામાં સફળ રહેશે. કાયદાકીય બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે. એટલું જ નહીં પરિવારના સભ્યોની ખુશીમાં વધારો થશે. નોકરિયાત લોકોને અધિકારીઓનો સહયોગ મળશે, જેનાથી તેમનું પદ અને પ્રભાવ વધશે.

Banner Image
3/6
કર્ક 
કર્ક 

આ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને ફળદાયી રહેવાનો છે. તમને સર્વાર્થ સિદ્ધિ યોગનો લાભ મળશે. ભાગ્ય તમારા પક્ષે રહેશે. વ્યવસાયિકોને આજે વિશેષ લાભ મળી શકે છે. સમયનો લાભ લેવામાં સફળતા મળશે. તીર્થસ્થળ પર જઈ શકો છો. 

4/6
સિંહ 
સિંહ 

સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે. આ લોકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસશે. ભાગ્ય તમારા પક્ષે રહેશે. અટકેલા કાર્યો પૂરા થશે. ધનલાભ થવાની શક્યતાઓ છે. તમે તમારી વાણીથી બીજાને પોતાની તરફ આકર્ષિત કરી શકશો. માન-સન્માનમાં વધારો થશે. એટલું જ નહીં, આ સમયે દેવી લક્ષ્મીની કૃપાથી વેપારમાં વૃદ્ધિ થશે. 

5/6
કન્યા
કન્યા

આ રાશિના લોકો માટે શિવયોગ શુભ રહેવાનો છે. આર્થિક લાભની દ્રષ્ટિએ પણ આજનો દિવસ ખૂબ જ ખાસ છે. જો તમે પૈસાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે મિલકત અથવા મકાન ખરીદી શકો છો. નોકરી કરતા લોકોને કોઈ અન્ય કંપની તરફથી ઈન્ટરવ્યુ માટે કોલ આવી શકે છે. 

6/6
મકર
મકર

મકર રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે. અચાનક ધનલાભ થશે. જમીનનું પડતર કામ પણ પુરી થવાની સંભાવના છે. વેપારીઓના બેલેન્સમાં વધારો થશે. પારિવારિક જીવનનો આનંદ પણ માણી શકાશે.





Read More