Mangal Gochar 2025 Negative Effects: મંગળ ગ્રહને ગ્રહોના સ્વામી કહેવામાં આવે છે. મંગળ ગ્રહ આગામી વર્ષ એટલે કે 2025માં સાત વખત રાશિ પરિવર્તન કરશે, જેની નકારાત્મક અસર ત્રણ રાશિના જાતકો પર પડશે. આવો જાણીએ આ રાશિઓ કઈ છે.
જ્યારે પણ કોઈ ગ્રહ ગોચર કરે છે ત્યારે તમામ 12 રાશિઓ પર પ્રભાવ પડે છે. મંગળ ગ્રહને ગ્રહોના સ્વામી કહેવામાં આવે છે. આગામી વર્ષ એટલે કે 2025માં મંગળ ગ્રહ 7 વખત ગોચર કરશે. મંગળ ગોચરની ત્રણ રાશિઓ પર નકારાત્મક અસર પડશે.
મંગળ ગ્રહ વર્ષ 2025માં 7 વખત ગોચર કરશે. ગ્રહોના સ્વામી મંગળ 21 જાન્યુઆરી, 3 એપ્રિલ, 7 જૂન, 28 જુલાઈ, 13 સપ્ટેમ્બર, 27 ઓક્ટોબર અને 7 ડિસેમ્બર 2025ના ગોચર કરશે. તેનાથી ત્રણ રાશિના લોકોને નુકસાન થઈ શકે છે.
વૃષભ રાશિના લોકોએ આગામી વર્ષમાં સાવધાની રાખવી પડશે. તેમને ડ્રાઇવિંગ કરતી વખતે ખાસ કાળજી લેવાની જરૂર છે. નવા વર્ષમાં તેમનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. આવક પર નકારાત્મક અસર પડી શકે છે.
ધનુ રાશિના લોકો માટે નવું વર્ષ અશુભ સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોના પરિવારમાં કોઈ બીમાર પડી શકે છે તેમની બચત પણ નવા વર્ષમાં ખતમ થઈ શકે છે. આ રાશિના લોકોએ નવા વર્ષમાં પોતાની જીવનશૈલીમાં બદલાવ ન કરવો જોઈએ, આ પગલું નુકસાનકારક સાબિત થઈ શકે છે.
મકર રાશિના જાતકોએ મંગળ ગોચરથી અશુભ સમયનો સામનો કરવો પડી શકે છે. કાર્યસ્થળ પર કર્મચારીઓ સાથે ઝઘડો થઈ શકે છે. તેણે પોતાની નોકરી ગુમાવવી પડી શકે છે. કુંવારા લોકોના લગ્નની સંભાવના પણ ખુબ ઓછી જોવા મળી રહી છે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.