PHOTOS

વિનાશકારી ષડાષ્ટક યોગ પણ કશું બગાડી નહીં શકે, આ 3 રાશિવાળાને બંપર ધનલાભ થશે! બગડેલા કામ પાર પડશે

્રહો એકબીજાથી છઠ્ઠા કે આઠમા  ભાવમાં હોય તો ષડાષ્ટક યોગ બને છે. મંગળ અને શનિનો ષડાષ્ટક યોગ આમ તો ભારે ગણાય છે પરંતુ આમ છતાં કેટલીક ...

Advertisement
1/5

વૈદિક જ્યોતિષમાં મંગળને ભૂમિપુત્રની સાથે ગ્રહોના સેનાપતિ પણ ગણવામાં આવે છે. મંગળ પણ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. મંગળે 7 જૂને કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કર્યો. મંગળના સિંહ રાશિમાં જતા જ મીન રાશિમાં રહેલા શનિ સાથે શક્તિશાળી ષડાષ્ટક યોગ બન્યો. આ યોગની ગણતરી આમ તો અત્યંત ભારે અને ખતરનાક યોગમાં થાય છે જેમાં જાતકોએ સંભાળીને રહેવાની જરૂર હોય છે પરંતુ કેટલીક રાશિઓ માટે લકી રહેશે.  વૈદિક જ્યોતિષ મુજબ કર્મફળ દાતા શનિ હાલ મીન રાશિમાં બિરાજમાન છે. જ્યારે મંગળ 7 જૂનના રોજ સવારે 2.28 વાગે સિંહ રાશિમાં પ્રવેશી ગયો. 28 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. ત્યારબાદ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આવામાં 7 જૂનથી 28 જુલાઈ સુધી ષડાષ્ટક યોગ બન્યો છે. જ્યારે બે ગ્રહો એકબીજાથી છઠ્ઠા કે આઠમા  ભાવમાં હોય તો આ યોગ બને છે. આવામાં શનિ સિંહ રાશિમાં આઠમા અને મંગળ મીન રાશિમાં છઠ્ઠા ભાવમાં બિરાજમાન રહેશે જેનાથી ષડાષ્ટક યોગ બન્યો છે. 

2/5
મિથુન રાશિ
મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ યોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. જાતકોને મહેનતનું ફળ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકે છે. વ્યક્તિત્વનો વિકાસ થશે. નોકરીમાં પ્રગતિની તકો મળશે. વિદેશમાં નોકરી કરવાનું સપનું પૂરું થઈ શકે છે. બિઝનેસમાં સારી ડીલ થઈ શકે છે. હરીફોને ટક્કર આપશો, આઉટસોર્સિંગના વેપારથી તમને ઘણો લાભ થઈ શકે છે. આર્થિક મોરચે ભાગ્યનો સાથ મળશે. પૈસા કમાવવાની સાથે સાથે ધનની બચત કરવામાં પણ સફળ રહેશો. આવકના એકથી વધુ સ્ત્રોત ખુલશે.   

Banner Image
3/5
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ ષડાષ્ટક યોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોને અપાર સફળતા મળી શકે છે. તમે તમારી યોગ્યતા અને કૌશલથી ઘણી તકો મેળવી શકો છો. કરિયરની રીતે પણ તમે પ્રગતિ મેળવી શકો છો. પ્રમોશનની સાથે પગાર વધારો થઈ શકે છે. બિઝનેસમાં પણ ફાયદો થઈ શકે છે. આવનારા સમયમાં બંપર ફાયદો થઈ શકે છે. 

4/5
મીન રાશિ
મીન રાશિ

મીન રાશિમાં શનિ લગ્ન અને મંગળ છઠ્ઠા ભાવમાં રહેશે. આવામાં આ રાશિવાળાને પણ બંપર ફાયદો થઈ શકે છે. અટકેલા કામો શરૂ થઈ શકે છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થઈ શકે છે. વેપારમાં ઘણો લાભ થઈ શકે છે. હરીફોને ટક્કર આપશો. આર્થિક સ્થિતિ અનુકૂળ રહેશે. પૂરતા પ્રમાણમાં ધન કમાવવામાં સફળ રહી શકો છો. 

5/5
Disclaimer:
Disclaimer:

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.





Read More