rediction: હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે. જેમાં રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આખા રાજ...
Gujarat Gujarat Monsoon Prediction : આમ, તો સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 જુન બાદથી જ આવતું હોય છે. પરંતું આ વખતે વાતાવરણમાં એવા પલટા આવ્યા છે. જેને કારણે ચોમાસું વહેલું આવ્યું છે. સાથે જ આ વર્ષનું ચોમાસું ધોધમાર રહે તેવી પણ આગાહી છે. વરસાદ અંગે હવામાન વિભાગની પણ આગાહી સામે આવી ગઈ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આખા રાજ્યમાં આજે વરસાદનું યેલો અલર્ટ અપાયું છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આજે મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાત તરફ વરસાદ લાવતી બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાંથી વરસાદી ટ્રફ લાઈન પસાર થતી હોવાથી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે. તેમ છતાં આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
સામાન્ય રીતે દક્ષિણપશ્ચિમ ચોમાસું 1 જૂને કેરળ પહોંચે છે અને જુલાઈના પહેલા અઠવાડિયા સુધીમાં સમગ્ર ભારતને આવરી લે છે. આ પછી, સપ્ટેમ્બરથી, ચોમાસું ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગોને વિદાય આપવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે વિદાય લે છે. આ વર્ષે ચાર મહિનાના ચોમાસા દરમિયાન ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન, 105 ટકા વરસાદ પડી શકે છે, જે 87 સેમીના સરેરાશ વરસાદ કરતાં વધુ છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, "કેરળમાં ચોમાસાનું વહેલું કે મોડું આગમન થવાનો અર્થ એ નથી કે તે દેશના અન્ય ભાગોમાં પણ આ જ રીતે પહોંચશે. "તે ખૂબ જ પરિવર્તનશીલ છે અને વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક પરિસ્થિતિઓ પર આધાર રાખે છે." IMD એ એપ્રિલમાં 2025 ના ચોમાસા માટે સામાન્યથી વધુ કુલ વરસાદની આગાહી કરી હતી અને ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા વરસાદ સાથે સંકળાયેલ અલ નિનો સ્થિતિઓની શક્યતાને નકારી કાઢી હતી.
કેરળમાં આ વર્ષે વહેલું ચોમાસું આવી ગયું છે, ગત વર્ષે 30 મેના રોજ ચોમાસું કેરળમાં આવી ગયું હતું, તેના બાદ 10 જુવને ગુજરાતના સૌરાષ્ટ્ર-દક્ષિણ કાંઠે આવીને અટકી ગયું હતું. તેના બાદ 24 જુનના રોજ ચોમાસામાં ગતિ આવી હતી. તેના બાદ 30 જુને આખા ગુજરાતમાં ચોમાસું છવાયું હતું. પરંતું આ વખતે ચોમાસું વહેલું આવે તે શક્યતા છે.
ભારતીય મુખ્ય ભૂમિ પર ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત ત્યારે થાય છે જ્યારે તે કેરળ પહોંચે છે. સામાન્ય રીતે 1 જૂનની આસપાસ હોય છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. તે 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી પીછેહઠ કરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પીછેહઠ કરે છે.
તમને જણાવી દઈએ કે કેરળમાં પ્રવેશ્યા પછી, દક્ષિણપશ્ચિમ ચોમાસું અલગ અલગ તારીખે તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને આસામ પહોંચે છે. આ પછી, તે જૂનના બીજા કે ત્રીજા અઠવાડિયા સુધીમાં બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, યુપી, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, હિમાચલ, ઉત્તરાખંડ, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને મણિપુર જેવા રાજ્યોમાં પ્રવેશ કરે છે. જોકે, ચોમાસું 25-30 જૂનની આસપાસ દિલ્હી-એનસીઆર, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં પહોંચે છે. આ વર્ષે ચોમાસું આ રાજ્યોમાં ક્યારે પ્રવેશ કરશે તે જાણવા માટે, દેશવાસીઓને હવામાન વિભાગના નવા અપડેટની રાહ જોવી પડશે.