હિન્દુ ધર્મમાં શનિવારના દિવસે વાળ નહીં કપાવવાની પરંપરા છે. શનિવારનો દિવસ ભગવાન શનિનો હોય છે. એવી માન્યતા છે કે શનિવારે ભગવાન શનિની પૂજા અર્ચના કરવાથી જીવનના તમામ કષ્ટ દૂર થાય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ ભગવાન શનિદેવ સૂર્યના પુત્ર છે. તેમને કર્મફળદાતાની ઉપાધિ આપવામાં આવી છે. ભગવાન શનિને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવે છે.
શનિદેવને પ્રસન્ન કરવા માટે હિન્દુ ધર્મમાં અનેક પ્રકારના ઉપાય અને નિયમો છે. તેનું પાલન કરવાથી જ ભગવાન શનિદેવ પ્રસન્ન થાય છે. આ દિવસે વાળ અને દાઢી કાપવાની મનાઈ હોય છે. બીજી કઈ કઈ બાબતે મનાઈ છે તે પણ જાણો.
શનિવારના દિવસે લોઢાની ખરીદી કરવાને અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમારા ભગવાન શનિનો ગુસ્સો ઝેલવો પડી શકે છે.
શનિવારના દિવસે અભ્યાસ સંલગ્ન વસ્તુઓ પણ ખરીદવી જોઈએ નહીં. આમ કરવાથી તમારે અભ્યાસ સંબધિત વસ્તુઓમાં તમારે પરેશાની ઉઠાવવી પડી શકે છે.
શનિવારના દિવસે કોઈ પણ વ્યક્તિનું અપમાન કરવાથી બચો. કારણ કે નહીં તો તમારે ભગવાન શનિના ક્રોધનો સામનો કરવો પડી શકે.
શનિવારના દિવસે જૂતા કે ચપ્પલ વગેરેની ખરીદી કરવી જોઈએ નહીં. કારણ કે જો એમ કરવામાં આવે તો ધનનું નુકસાન થઈ શકે.