ઝી, બ્યૂરોઃ મોરબીમાં રવિવારે થયેલી બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી 136 લોકોના મોત થયા છે. જેમાં બાળકો, મહિલાઓ પણ સામેલ છે. રવિવારનો દિવસ મોરબી માટે ઘાત લઈને આવ્યો હતો. અહીં આવેલો પ્રસિદ્ધ ઝૂલતો પુલ અચાનક તૂટી જતાં લોકો પાણીમાં પડી ગયા હતા અને મોતને ભેંટ્યા હતા. મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો હતો.