Warm Water: તમે પણ અનેક લોકો પાસેથી સાંભળ્યું હશે કે સવારે જાગો એટલે સૌથી પહેલા 2 ગ્લાસ હફાળું પાણી પીવું જોઈએ. મોટાભાગના લોકો માને છે કે વજન ઘટાડવું હોય તેમણે જ આ ઉપાય કરવો જોઈએ. પરંતુ આયુર્વેદમાં પણ રોજ દિવસની શરૂઆત હૂંફાળું પાણી પીને કરવાની સલાહ આપવામાં આવે છે. આયુર્વેદમાં પણ જણાવેલું છે કે હુંફાળું પાણી પીવાથી શરીરમાં શું ફેરફાર થાય છે.
સવારના સમયે સૌથી પહેલા હુંફાળું પાણી પીવાથી પેટમાં દુખાવો, કબજિયાત જેવી પાચનની સમસ્યાઓ થતી નથી. નિયમિત હૂંફાળું પાણી પીવાથી ડાઇઝેશન સુધરે છે.
શરીરમાં અનેક પ્રકારના ટોક્સિન જમા થતા હોય છે. તેને શરીરમાંથી બહાર કાઢવા હોય તો સવારે હુંફાળું પાણી પી લેવું જોઈએ. હુંફાળું પાણી પીવાથી કિડની અને લીવરમાં જામેલી ગંદકી સાફ થઈ જાય છે.
હુંફાળુ ગરમ પાણી પીવાથી શરીરનો મેટાબોલિક રેટ સુધરે છે. તેનાથી કેલેરી બર્ન કરવાની પ્રોસેસ ઝડપી થાય છે. પરિણામે વેટ લોસમાં મદદ મળે છે.
હુંફાળું ગરમ પાણી પીવાથી શરીર અંદરથી સાફ થાય છે અને સ્કીન હાઇડ્રેટ રહે છે. જો તમે નિયમિત હૂંફાળું પાણી પીશો તો ત્વચા ગ્લોઇંગ દેખાવા લાગશે.