PHOTOS

મ્યાનમાર અને થાઈલેન્ડ વિનાશકારી ભૂકંપ... સાચી પડી ગઈ બાબા વેંગાની વધુ એક ભવિષ્યવાણી, 2025માં શરૂ થશે દુનિયાનો અંત!

a Vanga Predicts Myanmar Earthquake: મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા વિનાશકારી ભૂકંપે સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયાને હચમચાવી નાખ્યુ...

Advertisement
1/5
બાબા વેંગાની ભૂકંપની ભવિષ્યવાણી
બાબા વેંગાની ભૂકંપની ભવિષ્યવાણી

બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સમય જતાં સાચી સાબિત થઈ છે. 28 માર્ચે બપોરે 1 વાગ્યે આવેલા વિનાશક ભૂકંપ પછી બાબા વેંગા આખી દુનિયામાં ટ્રેન્ડ થઈ રહ્યા છે. બાબા વેંગાએ વર્ષ 2025 માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી એક ભૂકંપ સમય સાથે બિલકુલ સાચી સાબિત થઈ છે. જો બાબા વેંગાની સચોટ ભવિષ્યવાણીની વાત કરીએ તો બાબા વેંગાએ અગાઉ 9/11ના આતંકવાદી હુમલા અને કોરોના મહામારી જેવી ઘટનાઓની આગાહી કરી હતી. નોસ્ત્રાડેમસના પુસ્તકોમાં આવી ઘણી વસ્તુઓ લખવામાં આવી છે, જેને આજે લોકો ભૂકંપ પછીના સમય સાથે જોડીને જોઈ રહ્યા છે. હવે આ સવાલની સાથે સાથે કેટલાક લોકોના મનમાં એ ડર પણ ઉભો થઈ રહ્યો છે કે, 2025 માટે બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી બાકીની ભવિષ્યવાણીઓ સાચી સાબિત તો નહીં થઈ જાયને.

2/5
દાવો કરવામાં આવ્યો હતો કે વિશ્વનો અંત 2025માં શરૂ થશે
દાવો કરવામાં આવ્યો હતો કે વિશ્વનો અંત 2025માં શરૂ થશે

આ દરમિયાન બાબા વેંગા દ્વારા આવનારા વર્ષો વિશે કરેલી ઘણી ભવિષ્યવાણીઓ સામે આવી રહી છે, જે ડરામણી છે. બાબા વેંગા તેની આંખોથી જોઈ શકતા ન હતા અને તેમની ઘણી આગાહીઓ પહેલાથી જ એકદમ સચોટ સાબિત થઈ ચૂકી છે. તેમણે દાવો કર્યો હતો કે, વિશ્વનો અંત વર્ષ 2025માં શરૂ થશે. તેમણે વર્ષ 2025 માટે કેટલીક ડરામણી ભવિષ્યવાણીઓ પણ કરી છે. તેની ઝલક છેલ્લા કેટલાક દિવસોમાં ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ જોવા મળી છે.

Banner Image
3/5
બાબા વેંગા ભવિષ્યવાણી અને મ્યાનમાર ભૂકંપ અપડેટ
બાબા વેંગા ભવિષ્યવાણી અને મ્યાનમાર ભૂકંપ અપડેટ

બાબા વેંગાએ કહ્યું કે, વર્ષ 2025માં વિશ્વના ઘણા દેશોમાં વિનાશક ભૂકંપ આવશે. તેના કારણે દરેક જગ્યાએ મોટા પાયે વિનાશ થશે. જાન-માલના ભારે નુકસાનનું પણ અનુમાન તેમણે કર્યું છે. બાબા વેંગાની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરવામાં આવે તો ભૂકંપના કારણે ઘરો બરબાદ થઈ જશે. જેના કારણે મોટી સંખ્યામાં લોકોને વિસ્થાપનનો માર સહન કરવો પડશે. બાબા વેંગાએ કહ્યું હતું કે, '2025માં દુનિયાના વિવિધ ભાગોમાં ઘણા ભૂકંપ આવશે. આનાથી એક તરફ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થશે અને બીજી તરફ મોટી સંખ્યામાં લોકોના મોત થશે. તેમણે પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું છે કે, ભૂકંપથી અમેરિકામાં ભારે તબાહી થશે, દુનિયાના અન્ય ભાગોમાં પણ ધરતી ધ્રૂજશે અને ભયંકર દ્રશ્ય જોવા મળશે.

4/5
ભારતમાં પણ સતત ધ્રૂજતી રહેશે ધરા
ભારતમાં પણ સતત ધ્રૂજતી રહેશે ધરા

હવે મોટો પ્રશ્ન એ છે કે, શું બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડવાનો સમય આવી ગયો છે? તમને જણાવી દઈએ કે ભારતમાં છેલ્લા ત્રણ મહિનાથી ધરા સતત ધ્રુજી રહી છે. દેશના અલગ-અલગ ભાગોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. દિલ્હી-એનસીઆર (નોઈડા-ગાઝિયાબાદ-ફરીદાબાદ-ગુરુગ્રામ) સુધી ધરતી ધ્રૂજી છે. એકવાર ભૂકંપનું કેન્દ્ર દિલ્હીના ધૌલાકુઆમાં હતું. બિહાર, બંગાળ અને ઉત્તર-પૂર્વમાં આસામમાં સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ સિવાય એશિયા સહિત અનેક ખંડોના દેશોમાં ભૂકંપ આવ્યા છે.

5/5

મ્યાનમારમાં 7.7ની તીવ્રતાના વિનાશકારી ભૂકંપ બાદ ચારેબાજુ તબાહીનો માહોલ છે. સેંકડો ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. રાજધાની સહિત અનેક શહેરોમાં હાઈવે તૂટી ગયા છે. રસ્તાઓ પર તિરાડો પડી ગઈ છે. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે બાબાની વધુ એક ભવિષ્યવાણી સાચી સાબિત થઈ.





Read More