PHOTOS

Narak Chaturdasi 2023: ભગવાન રામ જ નહીં શ્રીકૃષ્ણનો પણ છે દિવાળી સાથે આ ખાસ સંબંધ, જાણો શું છે માન્યતા

દિવાળીના દિવસે ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ કાપીને અયોધ્યા પાછા આવ્યા હતા. જેની ખુશીમાં દિવાળી ઉજવવાનું ચલણ છે. દિવાળી પહેલા નાની દિવાળી (છોટી દિવાળી) પણ ઉજવાય છે જેનો ભગવાન શ્રીકૃષ્ણ સાથે વિશેષ સંબંધ છે. 

Advertisement
1/7
Narak Chaturdasi 2023
Narak Chaturdasi 2023

ભારતમાં 5 દિવસ સુધી દિવાળી ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે દિવાળીના દિવસે ભગવાન શ્રીરામ 14 વર્ષનો વનવાસ કાપીને પાછા અયોધ્યા આવ્યા હતા અને તેની ખુશીમાં દિવાળી ઉજવવાનું ચલણ છે. દિવાળી પહેલા નાની દિવાળી (છોટી દિવાળી) પણ ઉજવાય છે જેનો ભગવાન શ્રીકૃષ્ણ સાથે વિશેષ સંબંધ છે. 

2/7
દિવાળીના પાંચ દિવસ
દિવાળીના પાંચ દિવસ

દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે. ત્યારબાદ કાળી ચૌદશ, પછી દિવાળી અને બેસતું વર્ષ તથા છેલ્લે ભાઈબીજની ઉજવણી થાય છે. 

Banner Image
3/7
યમનો દીપક
યમનો દીપક

કારતક માસની ચૌદશને નરક ચતુર્દશી પણ કહે છે. આ દિવસે યમનો દીપક પ્રગટાવવામાં આવે છે અને ભગવાન શ્રીકૃષ્ણની ઉપાસના કરાય છે. તેને છોટી દિવાળી કે નાની દિવાળી પણ કહે છે. 

4/7
નરકાસુર રાક્ષસનો વધ
નરકાસુર રાક્ષસનો વધ

શ્રીકૃષ્ણે નરકાસુર રાક્ષસનો વધ પણ આ જ દિવસે કર્યો હતો. તેનો વધ કર્યા બાદ તેમણે તેલ અને ઉબટણથી સ્નાન કર્યું હતું. ત્યારથી આ દિવસે તેલ, ઉબટણ લગાવીને સ્નાન કરવાની પ્રથા શરૂ થઈ. એવી માન્યતા છે કે આમ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. 

5/7
સત્યભામા
સત્યભામા

ધાર્મિક કથા મુજબ નરકાસુર નામના રાક્ષસે સોળ હજાર એક સો કન્યાઓને કેદ કરી હતી. જેનો શ્રીકૃષ્ણ પત્ની સત્યભામાની મદદ લઈને ખાતમો કરે છે. નરકાસુરને સ્ત્રી દ્વારા જ મોત થાય એવો શ્રાપ હતો. આથી ભગવાન શ્રીકૃષ્ણએ રાક્ષસના વધ માટે પત્ની સત્યભામાની મદદ લીધી હતી. 

6/7
નરક ચતુર્દશી
નરક ચતુર્દશી

કારતક માસની ચતુર્દશી તિથિને નરક ચતુર્દશી તરીકે ઉજવાય છે. જેને કાળી ચૌદશ, નરક ચૌદશ, રૂપ ચૌદશ કે રૂપ ચતુર્દશી પણ કહે છે. 

7/7




Read More