pancham Rajyog 2025: એપ્રિલ મહિનામાં મંગળ ગ્રહ અને શનિ ગ્રહનું ગોચર થવાનું છે, જેના કારણે બન્ને ગ્રહો એક-બીજાથી 120 ડિગ્રી પર ...
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ ગ્રહો નિશ્ચિત સમયે પોતાની રાશિ પરિવર્તન કરે છે. આવી જ રીતે શનિ ગોચર અને મંગળ ગ્રહની સ્થિતિના કારણે એવા સંયોગો બની રહ્યા છે કે એક વિશેષ પ્રકારનો રાજયોગ બની રહ્યો છે. શનિ ગ્રહ હોળી 2025 પછી મંગળ ગ્રહ સાથે નવપંચમ રાજયોગ બનાવા જઈ રહ્યો છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે 5 એપ્રિલે સવારે 6.31 વાગ્યે શનિ અને મંગળ એકબીજાથી 120 ડિગ્રી પર હશે. આ સ્થિતિમાં નવપંચમ રાજયોગ બની રહ્યો છે. ત્રણ રાશિના જાતકોને આ રાજયોગથી વિશેષ લાભ મળવાનો છે. ચાલો આપણે જાણીએ નવપંચમ રાજયોગની અસરો વિશે.
મેષ રાશિના જાતકો માટે આ રાજયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેટલીક યાત્રાઓ કરવી પડી શકે છે, જે ફાયદાકારક રહેશે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ કરવામાં સફળતા મળશે. નાના ભાઈ સાથે દલીલ કરવાનું ટાળો. માતા-પિતા અને ગુરુઓનો દરેક સમયે સહયોગ અને આશીર્વાદ મળતા રહેશે. આ સમયગાળા દરમિયાન જાતકો જૂના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ રહેશે. નોકરીની શોધ પૂર્ણ થશે અને વેપારમાં મોટો સોદો અને મોટો ફાયદો થઈ શકે છે.
સિંહ રાશિના જાતકો માટે મંગળ-શનિનો નવપંચમ રાજયોગ ભૌતિક સુખનો કારક બની શકે છે. આવકના માર્ગો ખુલશે. ભાઈ-બહેનો સાથે સારો સમય પસાર કરશો. આર્થિક પહેલા કરતા સારી રહેશે. બચત કરવામાં જાતક સફળ થશે. કરિયરના ક્ષેત્રમાં પ્રગતિના માર્ગો ખુલશે. ધન લાભ થઈ શકે છે. નોકરીમાં પગારમાં વધારો થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. વડીલોનો સંપૂર્ણ સહયોગ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કરેલી તૈયારી રંગ લાવશે.
કન્યા રાશિના જાતકો માટે આ રાજયોગ જીવનમાં ખુશીઓથી ભરપૂર સાબિત થઈ શકે છે. જાતક પોતાની કરિયરને લઈ ગંભીર રહેશે. ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. જાતકને વધારાની જવાબદારીની સાથે પ્રમોશન પણ મળી શકે છે. સમાજમાં માન-સન્માન વધશે. બિઝનેસમાં વિસ્તરણની સાથે જીવનમાં સકારાત્મક બદલાવ પણ આવી શકે છે. પ્રેમ જીવનમાં ઉન્નતિના માર્ગો ખુલશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)