Vastu for Home: જો તમે ઈચ્છો છો કે નવું વર્ષ તમારા માટે શુભ હોય અને માં લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી વાસ કરે તો વાસ્તુના આ નિયમનું પાલન કરવું પડશે. ઘરમાં એવી 5 વસ્તુઓ હોય છે જેને ખાલી રાખવાથી ઘરમાં ધનની આવક અને પ્રગતી અટકી જાય છે. તેથી આ વસ્તુઓને ક્યારેય ખાલી રાખવી નહીં.
તિજોરીને ક્યારેય ખાલી રાખવી નહીં. જો પૈસાની જરૂર હોય અને તેમાંથી પૈસા કાઢો તો પણ થોડા પૈસા હંમેશા તિજોરીમાં રાખવા. તિજોરીમાં શંખ, કોડી કે ગોમતી ચક્ર પણ રાખી શકાય છે.
ઘરના મંદિરમાં જલપાત્ર હોય તેને પણ ખાલી રાખવું નહીં. નિયમિત પૂજા કરતી વખતે જલપાત્રમાં તાજું પાણી ભરવું. તેનાથી ઘરમાં આર્થિક તંગી આવતી નથી.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો અન્નભંડાર પણ ક્યારેય ખાલી ન રાખો. જે પણ વસ્તુ ખુટે તેને ફરીથી ભરી દેવી જોઈએ. સાથે જ રોજ માં અન્નપૂર્ણાની પૂજા કરવી.
ઘરના બાથરુમમાં પાણીની ડોલ હોય તેને પણ ખાલી રાખવી નહીં. તેનાથી નકારાત્મક ઊર્જા આકર્ષિત થાય છે. પાણીની ડોલ ભરીને રાખવી અથવા ઊંધી રાખવી.
પર્સને પણ ક્યારેય ખાલી રાખવા નહીં. ખાલી પર્સ દરિદ્રતા અને સ્ટ્રેસ આકર્ષે છે. પર્સ ખાલી કરો તો પણ તેમાં થોડા પૈસા રાખવા જોઈએ.