ipes: એવું માનવામાં આવે છે કે શાકમાં ડુંગળી અને લસણ ઉમેરવાથી તે વધારે ટેસ્ટી બની જાય છે. પરંતુ જરૂરી નથી કે દરેક શાક લસણ-ડુંગળ...
કોળાનું શાક બનાવો ત્યારે તેમાં લસણ ડુંગળી ઉમેરવા નહીં. આ શાક ડુંગળી અને લસણ વિના જ સ્વાદિષ્ટ લાગે છે. કોળાનું શાક બનાવવું હોય તો તેમાં હિંગ, જીરું અને રાઈનો વઘાર કરવાનો હોય છે. આ શાકમાં ખટાશ માટે કાચી કેરી અને મીઠાશ માટે ગોળ ઉમેરવાનો હોય છે.
દુધીનું શાક પણ હંમેશા લસણ અને ડુંગળી વિના જ બનાવવું જોઈએ. દૂધીનું શાક સ્વાદિષ્ટ બનાવવું હોય તો તેમાં જીરું અને હિંગ નો વઘાર કરવો. આ રીતે બનાવેલું દૂધીનું શાક શરીરને ઠંડક આપશે.
ભંડારા અને લગ્ન પ્રસંગમાં બનતા બટેટાના શાકમાં પણ ડુંગળી અને લસણ હોતા નથી. ડુંગળી અને લસણ વિના આ શાક સ્વાદિષ્ટ લાગે છે. બટેટાનો ઘટ્ટ રસો બનાવવો હોય તો તેમાં ટમેટા પીસીને ઉમેરવાના હોય છે.
પેટ અને સ્વાસ્થ્ય માટે તુરીયાનું શાક ફાયદાકારક હોય છે. તુરીયાના શાકમાં લસણ કે ડુંગળીનો વઘાર કરવો નહીં. તુરીયા નું શાક હિંગ અને જીરાના વઘાર સાથે બનાવવાનું હોય છે. તેમાં સૂકા ધાણા લીલા મરચા અને હળદર ઉમેરશો તો વધારે સ્વાદિષ્ટ લાગશે.
મેથીની ભાજી પણ ડુંગળી અને લસણ વિના બનાવવાની હોય છે. ડુંગળી વિના મેથી ની ભાજી બનાવશો તો તે સ્વાદિષ્ટ પણ લાગશે અને વધારે પૌષ્ટિક બનશે. મેથીની ભાજીનો સ્વાદ માણવો હોય તો તેમાં લીલા મરચાનો વઘાર કરવો.