Numerology: અંક જ્યોતિષમાં આ સંખ્યાને સૌથી સારી માનવામાં આવે છે. તેવામાં આ લોકો પાસે પૈસાની કમી રહેતી નથી. આવો આ વિશે જાણીએ..
Numerology: અંક જ્યોતિષમાં દરેક સંખ્યાનું મહત્વ છે. જેના આધાર પર કોઈપણ વ્યક્તિના સ્વભાવ અને તેના જીવનમાં થનારી ઘટનાઓનો અંદાજ લગાવી શકાય છે. પરંતુ આ અંકને અંકશાસ્ત્ર પ્રમાણે ખૂબ સારો માનવામાં આવે છે. જો તમારો જન્મ 6, 15 કે 24 તારીખે થયો છે તો તમારો મૂળાંક 6 છે. આ ગ્રહનો સ્વામી શુક્ર હોય છે, જે સૌંદર્ય, વિલાસિતા, પ્રેમ અને ધનનો કારક છે.
કહેવામાં આવે છે કે આવા લોકોને પોતાના પાર્ટનર બનાવી લેવા જોઈએ. કારણ કે તેની ખુદની લાઇફમાં તો પૈસાની કમી રહેતી નથી પરંતુ તે જેની સાથે જોડાઈ છે તેને ધનવાન બનાવી દે છે. તેનો ઓરા મજબૂત કરે છે. તેને પૈસા છાપવાનું મશીન કહેવામાં આવે છે, કારણ કે લક્ષ્મી જીનો નંબર 6 છે.
મૂળાંક છ વાળા લોકો પૈસાની દ્રષ્ટિએ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તેમની પાસે પૈસા આકર્ષવાની કુદરતી કળા હોય છે. આ લોકો વ્યવસાય, રોકાણ, રિયલ એસ્ટેટ અથવા ફેશન, કલા, મનોરંજન જેવા સર્જનાત્મક ક્ષેત્રોમાં કરોડો અને અબજો કમાઈ શકે છે. તેમની પાસે પૈસાની કોઈ કમી નથી, કારણ કે ખર્ચની સાથે, તેઓ ખૂબ સારી રીતે બચત અને રોકાણ પણ કરે છે.
શુક્રના પ્રભાવને કારણે, આ લોકોને વૈભવી, સુંદર વસ્તુઓ અને આરામદાયક જીવન ગમે છે. મોંઘા કપડાં, ઘરેણાં, કાર અને વૈભવી ઘરો તેમની પસંદગી છે. તેઓ તેમની આસપાસના વાતાવરણને પણ સુંદર અને આકર્ષક રાખે છે.
છ નંબર વાળા લોકો ખૂબ જ ભાવનાત્મક અને લોકોને મદદરૂપ હોય છે. તેમનું આકર્ષણ એવું હોય છે જે લોકોને તેમની તરફ આકર્ષિત કરે છે. તેઓ સામાજિક જીવનને વધુ મહત્વ આપે છે. લોકો તેમની સાથે વાત કરવાનું પસંદ કરે છે.
આ મૂળાંકના જાતકને પૈસા છાપવાનું મશીન કહેવામાં આવે છે. શુક્ર ગ્રહ ધન, વૈભવ અને સુખ-સુવિધાનું પ્રતીક છે. મૂળાંક છના લોકો આ ગ્રહની કૃપાથી ધન કમાવામાં માહેર હોય છે. આ લોકો ઘણા સ્ત્રોતથી કમાણી કરે છે. પછી તે બિઝનેસ હોય, રોકાણ હોય કે સાઇડ ઇનકમ. તેની પાસે હંમેશા પૈસા આવતા રહે છે.
આ મૂળાંકના લોકો ખૂબ ચંચળ હોય છે. તેવામાં આ લોકો એક જગ્યાએ ટકી શકતા નથી. આવા લોકો એક કામથી જલ્દી કંટાળી જાય છે અને ટકીને કામ કરી શકતા નથી. લગ્ન જીવનમાં સમસ્યા આવે છે. તેના એક્સ્ટ્રા મેરિટલ અફેર પણ હોઈ શકે છે.
મૂળાંક 6ના લોકો ધનના મામલામાં ભાગ્યશાળી હોય છે. પરંતુ તેમણે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેમ મોજશોખમાં વધુ ખર્ચ ન કરો, બાકી આર્થિક સંકટ આવી શકે છે. આ લોકો ક્યારેક ભાવનાવશ ખોટા નિર્ણય લઈ શકે છે. સમજી વિચારીને નિર્ણય લો. શુક્રના પ્રભાવથી તેને વધુ ખાનપાન કે આળસની સમસ્યા થઈ શકે છે. તેના દયાળુ સ્વભાવનો ફાયદો લોકો ઉઠાવી શકે છે. સંબંધમાં સમજદારી રાખો.
શુભ રંગો: સફેદ, આછો વાદળી અને ગુલાબી રંગ તેમના માટે શુભ રંગો છે. આ રંગોના કપડાં અથવા એસેસરીઝનો ઉપયોગ કરો. શુક્રવાર તેમના માટે સૌથી શુભ છે. આ દિવસે નવું કાર્ય શરૂ કરો અથવા રોકાણ કરો. 6ઠ્ઠી, 15મી, 24મી તારીખ તેમના માટે શુભ છે. શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરો અને ખીરનો પ્રસાદ વહેંચો. આનાથી ધન અને સુખમાં વધારો થશે. હીરા અથવા ઓપલ પહેરવું શુભ હોઈ શકે છે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.