મિસાઈલ રક્ષા કવચ સિસ્ટમ દુનિયાના દિગ્ગજ દેશોથી જરાય કમ નથી. પરમાણુ બોમ્બ હુમલો કરવાની ધમકી આપતા પાકિસ્તાનના કોઈ પણ દાવાને તે હવા કાઢી શ...
ભારત પાસે બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ (BMD) ની એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ છે. પરમાણુ હુમલા માટે બેલિસ્ટિક મિસાઈલોનો ઉપયોગ થાય છે. જેના વિરુદ્ધ આ ડિફેન્સ સિસ્ટમ દીવાલ જેવું કામ કરે છે. પૃથ્વી ડિફેન્સ વ્હીકલ પણ ફાઈટર વિમાનો અને ડ્રોન હુમલા ઉપરાંત ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઈલોનો તે કાળ છે. તે 40 હજાર ફૂટની ઊંચાઈ સુધી ટાર્ગેટને ટ્રેક કરીને તેને હવામાં જ ધ્વસ્ત કરી શકે છે. તે ફક્ત 10 મિનિટમાં એક્ટિવ થઈ જાય છે. આ મિઆઈલ હુમલાના રક્ષા કવચ ઉપરાંત જવાબી હુમલો પણ કરે છે. રડાર-મિસાઈલ દ્વારા પાકિસ્તાનના ફાઈટર વિમાનો, બોમ્બવર્ષક, જાસૂસી વિમાન અને ડ્રોનને 400 કિમીના અંતરે જ પાડી શકે છે. 40 હજાર કરોડની આ ડીલ 2018માં થઈ હતી.
ભારતનો મિસાઈલ ડિફેન્સ પ્રોગ્રામ 1996માં શરૂ થયો હતો. ઈઝરાયેલે દુશ્મનની મિસાઈલોને ટ્રેક કરનારી રડાર સિસ્ટમ બનાવી. તેને લોંગ રેન્જ ટ્રિકિંગ રડાર કે સ્વોર્ડફિશ નામ અપાયું. 300 કિમી દૂર સુધી પાકિસ્તાન કે ચીનની મિસાઈલોને તે ટ્રેક કરી લે છે. ભારતે ફેબ્રુઆરી 2017માં પૃથ્વી ડિફેન્સ વ્હીકલ (PDV) નો ટેસ્ટ કર્યો હતો. લોન્ચ થયાના તરત બાદ મિસાઈલ ટ્રેકિંગની નવી સિસ્ટમ છે જે અમેરિકાના થાડ (THAAD) સિસ્ટમ જેવું છે. તેની એડવાન્સ્ડ એર ડિફેન્સ સિસ્ટમ ખુબ જ કારગર અને સટીક ગણવામાં આવે છે.
ભારત પાસે ક્યાંય પણ લઈ જઈ શકાય તેવી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પણ છે. તેમાં ઓછા રેન્જની જમીનથી હવામાં નિશાન સાધનારી મિસાઈલ હોય છે. તેનું નામ 9K33 OSA AK એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ છે. ભારતમાં પાંચ જવાન મળીને આ સિસ્ટમને ઓપરેટ કરે છે અને મિસાઈલો છોડે છે. તેની રેન્જ 15થી 18 કિલોમીટર વચ્ચે હોવાનું કહેવાય છે. આ મિસાઈલો 3704 km/hr ની સ્પીડથી દુશ્મનોનો સફાયો કરી શકે છે. બીએમપીના 17.5 ટનના જે વાહન હોય છે તેના પર આ મિસાઈલોને ફીટ કરાય છે.
આ MRSAM એટલે કે બરાક 8 મિસાઈલ સિસ્ટમ ઘાતક છે. આ એર ડિફેન્સ સિસ્ટમ ( Medium Range (MR-SAM) Barak 8ને ડીઆરડીઓ (DRDO) અને ઈઝરાયેલે મળીને બનાવી છે. આ સિસ્ટમ સબસોનિક અને સુપરસોનિક મિસાઈલો, ફાઈટર જેટ, પેટ્રોલિંગ વિમાનો, હેલિકોપ્ટર, અને સમુદ્રમાંથી છોડાયેલી મિસાઈલોને ઈન્ટરસેપ્ટ કરે છે.
એર ડિફેન્સ સિસ્ટમ MRSAM પણ પાકિસ્તાન માટે જડબાતોડ જવાબ છે. ચીન કે પાકિસ્તાન તરફથી જો ક્રૂઝ મિસાઈલ હુમલો થાય તો ભારતનો MRSAM એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે. તે ખુબ જ નજીકથી પણ ટાર્ગેટ ભેદી શકે છે. તેનો દાયરો અડધી કિમીથી 100 કિમી સુધી છે. તેની સ્પીડ 2500 કિમી પ્રતિ કલકાની છે. હવામાં 16 કિમી સુધીની રેન્જમાં દુશ્મનની મિસાઈલ ગણતરીની મિનિટોમાં ધ્વસ્ત થશે.
S-400 ની સાથે ભારત પાસે આકાશ ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ પણ છે. આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ 30થી 80 કિમી સુધીની રેન્જમાં મિસાઈલના જોખમને ટ્રેક કરીને ધ્વસ્ત કરી શકે છે. તે જમીનથી 20 કિમી ઊંચાઈ પર જ ટાર્ગેટને પાડી શકે છે.
ભારત પાસે પાકિસ્તાનના પરમાણુ બોમ્બનો પણ જવાબ છે. એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ S-400 છે. દુશ્મન કોઈ મિસાઈલથી હુમલો કે એટમ બોમ્બથી હુમલો કરે તો S-400 થી 72 મિસાઈલ છોડી શકાય છે. S-400 થી ભારતીય સેના 40થી 400 કિમી રેન્જની મિસાઈલો છોડી શકે છે. S-400 નું રડાર 600 કિમી દૂરથી જ જોખમ સૂંઘી લે છે. એટલે કે પાકિસ્તાની સેનાના હેડક્વાર્ટર રાવલપિંડીથી પણ કોઈ મિસાઈલ છોડવામાં આવે તો દિલ્હીથી તેને ટ્રેક કરી શકાય છે. -50 ડિગ્રીથી 70 ડિગ્રીની ભયંકર ગરમીમાં પણ આ એર ડિફેન્સ સિસ્ટમ કારગર છે.
પરમાણુ બમ્બ હુમલો થતા જ અનેક 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ધ્રુજારી અનુભવાય છે. વિસ્ફોટથી અનેક કિલોમીટરની ત્રિજ્યામાં બધું રાખમાં ફેરવાઈ જાય છે. દૂરના વિસ્તારોમાં પણ માણસોના ફેફસા, ત્વચા, કાન અને માથાને ગંભીર નુકસાન થાય છે. ઈમારતો ધરાશાયી થવાની સાથે સાથે સાત હજાર ડિગ્રીનું તાપમાન સૂર્ય જેવી ઉર્જા પેદા કરે છે. તેનાથી આગનો એક મોટો ગોળો પેદા થાય છે. ઓક્સીજનની કમી અને ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઈડથી મોટા પાયે લોકોના મોત થાય છે.
છ ઓગસ્ટના રોજ જ્યારે બી-29 સુપરફોર્ટેસ ફાઈટર જેટથી 31 હજાર ફૂટની ઊંચાઈથી હિરોશીમા પર લિટલ બોય નામનો પરમાણુ બોમ્બ ફેંકાયો જે માત્ર 31 સેકન્ડમાં નીચે પહોંચ્યો હતો. હિરોશીમાથી બે હજાર ફૂટની ઊંચાઈ પર તેમાં વિસ્ફોટ થયો અને એક સેકન્ડના 10 લાખમાં સમયમાં વિનાશલીલા શરૂ થઈ ગઈ. સાતર હજાર ડિગ્રી તાપમાન પહોંચ્યું અને 900 ફૂટ ઊંચાઈ સુધી આગનો ગોળો ઉપર ઉઠ્યો.
ધડાકાના તરંગો એક કલાકમાં સેંકડો કિલોમીટરના દાયરામાં બધુ તબાહ કરી નાખ્યું. તેમાં 80 હજાર લોકોના તત્કાળ મોતનો દાવો કરાયો હતો. ત્રણ દિવસ બાદ નાગાસાકીમાં પણ આ પ્રકારના પરમાણુ બોમ્બ હુમલાએ તબાહી મચાવી હતી. ફાઈટર વિમાનની ઉડાણથી હુમલો કરીને પાછા ફરવામાં માત્ર સાત કલાક લાગ્યા હતા. આજના સમયમાં પરમાણુ હુમલો બેલિસ્ટિક મિસાઈલથી કરવામાં આવે છે.
અમેરિકાની નેશનલ પાર્ક સર્વિસના રિપોર્ટ મુજબ પરમાણુ બોમ્બ હુમલાનો નિર્ણય લેવામાં અને પરમાણુ હથિયારથી લેસ મિસાઈલ છોડવામાં ભલે કલાકોનો સમય લાગતો હોય પરંતુ એટમ બોમ્બ વિસ્ફોટ કરવામાં એક સેકન્ડના એક લાખમાં હિસ્સા બરાબરનો સમય લે છે. તે એક સેકન્ડની અંદર જ પોતાની વિનાશલીલાની પરાકાષ્ઠાએ પહોંચી જાય છે.
પરમાણુ બોમ્બ હુમલા સંબંધિત તમામ જાણકારી સામાન્ય સ્ત્રોતોથી ભેગી કરાઈ છે. તેમાં સંકલિત જાણકારી અને ચિત્ર રૂપણની સત્યતા અને પ્રામાણિકતાનો ZEE 24 કલાક દાવો કરતો નથી.