ીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર ભારતમાં ગુસ્સાનો માહોલ છે. હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી છે. આતંકવાદીઓએ પહલ...
પ્રોફેસર દેબાશીષ ભટ્ટાચાર્યએ જણાવ્યું કે મારી આજુબાજુ દરેક (કલમા)ના જાપ કરતા હતા. હું પણ જાપ કરતો હતો. તે વ્યક્તિએ બંદૂક મારા માથા પર તાણી અને મારી વાત સાંભળી અને પછી જતો રહ્યો. હું બસ લા ઈલાહી...નો જાપ કરતો હતો.
રિપોર્ટ મુજબ અત્રે જણાવવાનું કે 1450 વર્ષ પહેલા ઈસ્લામના અંતિમ પયગંબર હજરત મોહમ્મદ સાહેબે તેના પાંચ સ્તંભ કલમા, નમાઝ, રોજા, જકાત અને હજ બનાવ્યા. જેમાં કલમા એ ઈસ્લામનો પહેલો સિદ્ધાંત છે. કલમાનો ઇસ્લામ અર્થ છે શહાદત એટલે કે ગવાહી કે શપથ છે.
મીડિયા રિપોર્ટ મુજબ કલમા એકઈશ્વરવાદ એટલે કે એક ભગવાન (અલ્લાહ)ના એક હોવાની જાહેરાત કરે છે. પયગંબર મોહમ્મદના અલ્લાહના મેસેન્જર હોવાની જાહેરાત કરે છે. એવું માનવામાં આવે છે કે ફક્ત એકવાર પૂરી શ્રદ્ધાથી કલમાનું વાંચન જ મુસલમાન બનવા માટે પૂરતું હોય છે.
ઈસ્લામમાં મહત્વપૂર્ણ સ્થાન છે. ઈસ્લામમાં દાખલ થવા માટે પહેલા કલમા તય્યબ પઢવું જરૂરી છે. કલમામાં ला इलाहा इल्लल्लाह, मुहम्मदूं रसूल अल्लाह વાંચવામાં આવે છે. તેમાં પહેલી લાઈનનો શાબ્દિક અર્થ છે..અલ્લાહ સિવાય કોઈ બીજો ભગવાન નથી. બીજી લાઈનનો અર્થ છે- મોહમ્મદ અલ્લાહના પયગંબર છે.
જો કે શિયા મુસલમાનોમાં વધુ એક લાઈન હોય છે- અલીયુન વલીઉલ્લાહ. તેનો અર્થ એ થાય છે કે અલ્લાહના પ્રતિનિધિ વલી છે. દુનિયાભરમાં સુન્ની અને શિયા મુસલમાન કલમા પઢે છે. આ એક ખુબ સામાન્ય ધાર્મિક રવાયત છે. જો કે જબરદસ્તીથી કલમા પઢાવવા એ ગુનો છે.
આ કોઈ પહેલીવાર નથી બન્યું કે કલમા ચર્ચામાં છે. અગાઉ પણ એવા અનેક મામલા સામે આવી ચૂક્યા છે. અત્રે જણાવવાનું કે દુનિયાના અનેક ઈસ્લામિક દેશોએ પણ પોતાના ઝંડામાં પણ કલમાને જગ્યા આપી છે. આ દેશોમાં ઈસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન, સાઉદી અરબ જેવા દેશો સામેલ છે.