PHOTOS

Palmistry: હથેળીની આ 5 રેખાઓ મનાય છે અશુભ...વ્યક્તિને વારંવાર મળે છે અસફળતા

Bad Signs on hand palmistry: હાથની હથેળી વ્યક્તિના ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન વિશે માહિતી આપે છે. હથેળીમાં રહેલી શુભ રેખાઓ શુભ ફળ આપે છે અને અશુભ રેખાઓ અશુભ પરિણામ આપે છે. ત્યારે આ લેખમાં હથેળી જોવા મળતી એવી 5 રેખાઓ વિશે જણાવીશું છે, અશુભ ગણાય છે.

Advertisement
1/7

Bad Signs on hand palmistry: દરેક વ્યક્તિની હથેળીમાં અનેક રેખાઓ અને પ્રતીકો હોય છે. આ રેખાઓ અને પ્રતીકો શુભ કે અશુભ હોઈ શકે છે. હસ્તરેખાશાસ્ત્રમાં હથેળી પર બનેલી કેટલીક અશુભ રેખાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે જે લોકોની હથેળીમાં આ રેખાઓ હોય છે તેમને આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

2/7

સર્કલ લાઈન - દરેક વ્યક્તિની હથેળીમાં સાત પર્વત હોય છે. દરેક પર્વતનું પોતાનું સ્થાન છે. જો હાથ પર સર્કલ રેખા હોય તો હકારાત્મક અસર ઓછી થાય છે. જો ચક્ર ગુરુ પર્વત પર હોય તો તેની સકારાત્મક અસર થાય છે.

Banner Image
3/7

દ્વીપ ચિન્હ - હથેળીમાં ઘણા પ્રકારના ચિન્હો બને છે. હથેળીમાં દ્વીપનું ચિન્હ અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તે અશુભ અને દુર્ભાગ્યનું પ્રતીક છે. હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, વ્યક્તિની જે રેખા પર દ્વીપ ચિન્હ હોય છે, તે વિસ્તારમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમ કે જો લવ લાઈફ પર હોય તો પ્રેમમાં મુશ્કેલીઓ આવે છે, જો પૈસાની લાઈનમાં હોય તો આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.

4/7

ક્રોસ માર્ક - હથેળી પરનું ક્રોસનું નિશાન જો તે કોઈપણ રેખા પર હોય તો તે અશુભ પરિણામ આપે છે. તે જીવનમાં મુશ્કેલીઓ લાવે છે.

5/7

બેરિયર લાઈન - હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જીવન રેખાને કાપતી નાની રેખાઓને બેરિયર લાઈન એટલે કે અવરોધ રેખાઓ કહેવામાં આવે છે.

6/7

અશુભ સ્વાસ્થ્ય રેખા - જો હથેળીમાં સ્વાસ્થ્ય રેખા જીવન રેખા સાથે જોડાયેલી હોય તો વ્યક્તિ જીવનભર શારીરિક સમસ્યાઓનો સામનો કરે છે. જો સ્વાસ્થ્ય રેખા ઊંડી અને સ્પષ્ટ બને છે, તો તેનો અર્થ એ છે કે વ્યક્તિને ઘણી શારીરિક પીડા અથવા ગંભીર બીમારી થઈ શકે છે.

7/7

ડિસ્કલેમર - અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.





Read More