અભિનેત્રી પાયલ ઘોષ (Payal Ghosh)એ એક એવી જાહેરાત કરી દીધી છે જેને લઇને દરેક તેની પ્રશંસા કરી રહ્યા છે. તાજેતરમાં જ જે સમાચાર સામે આવ્યા છે તેને લઇને એક્ટ્રેસ ખૂબ ચર્ચામાં છવાઇ ગઇ છે.
તાજેતરમાં જ પાયલે પોતાના એક મિત્રને કિડની સંબંધી બિમારીના લીધે ગુમાવી દેવાના કારણે પોતાના અંગોને દાન કરવાનો સંકલ્પ કર્યો છે.
કિડનીની બિમારીથી પીડિત અભિનેત્રીના મિત્રોને કોઇપણ દાનદાતા મળ્યો નથી.
આ અંગે પાયલે કહ્યું કે 'હું મારા મૃત્યું બાદ મારા અંગોને દાન કરવાનો સંકલ્પ લઉ છું. મેં મારા પરિવારને અનુરોધ કર્યો છે કે મારા મૃત્યું બાદ મારા અંગોનું દાન કરવામાં આવશે.'
આગળ તેને કહ્યું કે 'દાન કાર્ય ખૂબ જ નેકીનું કામ છે. જેથી અન્ય લોકોનો જીવ બચી શકે છે. હું મેં આજે એક મિત્રને ગુમાવી દીધો. તે એક કિડનીની બિમારીથી પીડિતો હતો અને લોકડાઉના કારણે તેને ડોનર ન મળ્યો.
તેમણે આગળ કહ્યું કે 'તમામને અનુરોધ છે કે મૃત્યું બાદ પોતાના અંગોને દાન કરવા માટે આગળ આવે. આવો બધા મળીને પૃથ્વીને એક સારું સ્થળ બનાવીએ.'
તેમણે આગળ કહ્યું કે 'ભારતમાં જ લાખો લોકો છે જે જોઇ શકતા નથી અને તેમને દાનદાતાઓની જરૂર છે. આપણે તેમના જીવનને સારું કરી શકીએ છીએ.
પાયલ ઘોષ, અંગદાન, અભિનેત્રી, Payal Ghosh, donate organ