સિંહના પુત્રના લગ્નમાં હાજરી આપી. PM મોદી રાત્રે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના પુત્ર અર્જુનસિંહના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્ય...
દાહોદ, કચ્છમાં કાર્યક્રમ પૂરો કરીને ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર પહોંચ્યા હતા. ગાંધીનગર સર્કિટ હાઉસમાં બળવંતસિંહ રાજપૂતના પુત્રના સરકાર સમારંભમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
ગાંધીનગર પહોંચ્યા બાદ સ્થાનિક લોકોએ સર્કિટ હાઉસ સર્કલ પાસે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. સવારે 10:30 વાગ્યે રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ-શો કરશે. સવારે 11 વાગ્યે મહાત્મા મંદિર અર્બન ડેવલોપમેન્ટ પ્રોગ્રામમાં હાજરી આપશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરશે. તેના બાદ શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ ₹1,447 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે.