ે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું. ઉદ્ધાટન સમારોહ વહેલી સવારથી શરૂ થયો. આ ઉદ્ધાટન સંપૂર્ણ વૈદિક, રીતિ રિવાજ સાથે કરવામાં આવ્યો છે. તમિલન...
નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહની શરૂઆત થઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સાથે લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ પૂજામાં બેઠા.
હવન પૂજા સાથે સમારોહની શરૂઆત થઈ. ઉદ્ધાટન સમારોહ દરમિયાન અધીનમ (પૂજારીઓ)એ પીએમ મોદીને વૈદિક મંત્રોચ્ચાર સાથે સેંગોલ એટલે કે રાજદંડ આપ્યો.
પીએમ મોદીએ સેંગોલ સ્વીકારતા પહેલા તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ પણ કર્યા.
પીએમ મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહ્યા. આ પહેલા પીએમ મોદીએ સંસદ ભવનમાં લોકસભાની અંદર સંગોલને સ્થાપિત કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહ દરમિયાન ભવનની અંદર સેંગોલને સ્થાપિત કર્યો. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ ઉપસ્થિત રહ્યા.તમિલનાડુથી આવેલા અધીનમ સંતોએ ધાર્મિક અનુષ્ઠાન બાદ પીએમ મોદીને આ સંગોલ સોંપ્યો હતો.
નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહ દરમિાયન સર્વ ધર્મ સમભાવની ભાવના જોવા મળી. તમામ ધર્મોના ગુરુઓએ આ અવસરે પ્રાર્થના કરી.
પીએમ મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યા બાદ ભવનના નિર્માણ કાર્યમાં સામેલ થયેલા શ્રમિકોનું સન્માન કર્યું.