PHOTOS

Vastu Tips: ઘરમાં અહીં લગાવો હનુમાનજીનો ફોટો, સમસ્યાઓ દૂર ભાગશે, પ્રગતિ અને સુખના આવશે દહાડા

Remedies for Hanuman Jayanti: જો વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરીને ઘરમાં હનુમાનજીની મૂર્તિ કે તસવીર મુકવામાં આવે તો જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં એવા ઘરમાં હંમેશા હનુમાનજીનો વાસ રહે છે. એવા ઘરમાં હંમેશા હનુમાનજીની કૃપા દ્રષ્ટ્રિ રહે છે. હનુમાનજી જલદી પ્રસન્ન થઈ જવા વાળા દેવતા છે. એ જ કારણ છેકે, હનુમાનજીના ભક્તોની સંખ્યા ખુબ જ વિશાળ છે.

Advertisement
1/5
પર્વત ઉઠાવતા હનુમાનજીની તસવીરઃ
પર્વત ઉઠાવતા હનુમાનજીની તસવીરઃ

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં પર્વ ઉઠાવતા હનુમાનજીની તસવીર રાખવાથી આપનામાં અને આપના પરિવારના સભ્યોની સાહસિક વૃત્તિમાં વધારો થશે. ધંધા-રોજગારનો વિકાસ થશે. તમે દરેક પડકારને પહોંચી વળશો. આ ઉપરાંત જો તમારા ઘરમાં ઉડતા હનુમાનજીની તસવીર લગાવવામાં આવે તો ચોક્કસથી પ્રગતિ થાય છે. તમારા ધાર્યા કામો પાર પડે છે અને દરેક કામમાં સફળતા મળે છે એવી માન્યતા છે.

2/5
કીર્તન કરતા હનુમાનજીની તસવીરઃ
કીર્તન કરતા હનુમાનજીની તસવીરઃ

જે ઘરમાં કીર્તન કરતા હનુમાનજીની તસવીર લગાવેલી હોય છે તે ઘરમાં પરિવારના સભ્યોમાં પ્રેમ અને આંતરીક સુમેળ બન્યો રહે છે. ઘરમાં શ્રી રામના ચરણોમાં બેસેલાં હનુમાનજી અથવા કીર્તન કરતા હનુમાનજીની તસવીર જરૂર રાખવી જોઈએ. ઘરમાં આવી તસવીર રાખવી ખુબ જ શુભ મનાય છે.

Banner Image
3/5
પંચમુખી હનુમાનજીનું ચિત્રઃ
પંચમુખી હનુમાનજીનું ચિત્રઃ

વાસ્તુશાસ્ત્રની માનીએ તો પંચમુખી હનુમાનજીની મૂર્તિ કે ચિત્ર જે ઘરમાં જે ઘરમાં હોય છે ત્યાં પ્રગતિના માર્ગામાં આવનારી તમામ અડચણો આપમેળે જ દૂર થઈ જાય છે. અને તેવા ઘરમાં સતત ધન અને વૈભવની વૃદ્ધિ થાય છે. ઘરના મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનજીની તસવીર લગાવવાથી ઘરમાં ખરાબ શક્તિઓ પ્રવેશી શકતી નથી.  

4/5
હનુમાનજીની બેસેલી તસવીરઃ
હનુમાનજીની બેસેલી તસવીરઃ

દક્ષિણ દિશાથી આવનારી નકારાત્મક ઉર્જા અને ખરાબ શક્તિઓને દૂર કરવા માટે ઘરમાં હનુમાનજીની બેસેલી તસવીર રાખવી જોઈએ. તેથી ઘરમાં દક્ષિણ દિશામાં હનુમાનજીની બેઠેલી મુદ્રામાં લાલ રંગની તસવીર જરૂર લગાવો.

5/5
હનુમાનજીના ચિત્ર માટે આ દિશા હંમેશા ગણાય છે સૌથી શુભ:
હનુમાનજીના ચિત્ર માટે આ દિશા હંમેશા ગણાય છે સૌથી શુભ:

વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરીને ઘરમાં હનુમાનજીની મૂર્તિ કે તસવીર મુકવામાં આવે તો ઘરમાંથી નેગેટિવ એનર્જી હંમેશા માટે દૂર થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ હનુમાનજીની તસવીર હંમેશા દક્ષિણ દિશાની તરફ હોવી જોઈએ. આ દિશા હનુમાનજીની તસવીર મુકવા માટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે. હનુમાનજીએ પોતાની શક્તિઓનો સૌથી વધુ પ્રભાવ દક્ષિણ દિશામાં દેખાડ્યો હતો.  





Read More