Rahu-Ketu Gochar 2023: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ અને કેતુ છાયા ગ્રહ છે. આ બે અશુભ ગ્રહો છે જેના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ-કેતુને એક ચક્ર પૂર્ણ કરવામાં દોઢ વર્ષ લાગે છે. 30 ઓક્ટોબરે આ બંને ગ્રહો મીન રાશિમાં પ્રવેશ કરશે. તેના કારણે 4 રાશિઓના જાતકોને મુશ્કેલીઓથી ભરેલો સમય જોવા પડશે.
રાહુ-કેતુનું આ ગોચર મેષ રાશિના લોકો માટે ઘણી મુશ્કેલીઓ લાવશે. માનસિક તણાવ વધી શકે છે. અનેક પ્રકારની સમસ્યાઓ તમને ઘેરી શકે છે. પત્ની સાથે વિવાદ પણ વધી શકે છે.
રાહુ-કેતુનું ગોચર વૃષભ રાશિના લોકોને કષ્ટ આપશે. દરેક ડગલે તમારી સામે સમસ્યાઓ આવશે. આ સમય દરમિયાન ખર્ચાઓ બેકાબૂ બનશે અને ઘરમાં પણ અશાંતિ રહેશે.
રાહુ-કેતુનું ગોચર કન્યા રાશિના લોકો માટે પરેશાનીઓથી ભરેલો સમય લાવશે. તમારો સંઘર્ષ વધશે અને દરેક ક્ષેત્રમાં મુશ્કેલીઓ તમને ઘેરી લેશે. નોકરી અને વ્યવસાયમાં સમસ્યાઓ આવશે. સંબંધોમાં તકરાર થઈ શકે છે.
આ સમયગાળો મીન રાશિના લોકોને પણ પરેશાનીઓ ઘેરી લેશે. લોન ચુકવવી પણ તમારા માટે ભારે પડશે. સંતાનની ચિંતામાં વધશે. અણધાર્યા ખર્ચ થશે.