રજન પોષક તત્વોનો ખજાનો છે. સવારે ખાલી પેટ લાલ સફરજન ખાવાથી શરીર માટે તે ફાયદાકારક સાબિત થાય છે. લાલ સફરજન પોષણથી ભરપૂર હોય છે અને સાથે ...
ખાલી પેટ સફરજન ખાવાથી પાચનતંત્ર મજબૂત થાય છે. સફરજનની છાલમાં ઘુલનશીલ અને અઘુલનશીલ ફાઇબર હોય છે જે કબજિયાત મટાડે છે અને પેટને સાફ રાખે છે.
સફરજનમાં વિટામીન સી અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટ તેને ખાવાથી શરીરમાંથી ટોક્સિન બહાર નીકળી જાય છે.
લાલ સફરજનમાં કેલેરીની માત્રા ઓછી હોય છે અને ફાઇબર વધારે હોય છે. તેથી વજન ઘટાડવા માટે આ બેસ્ટ ફળ છે. ખાલી પેટ તેને ખાવાથી ભૂખ કંટ્રોલમાં રહે છે.
સફરજન માં ફ્લેવેનોઈડ અને પોટેશિયમ હોય છે. જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને બેડ કોલેસ્ટ્રોલનું લેવલ પણ ઘટાડે છે. તેનાથી હાર્ટ સંબંધિત સમસ્યાઓનું જોખમ ઘટે છે.
સફરજન માં એન્ટિઓક્સિડન્ટ અને વિટામિન એ ભરપૂર હોય છે. નિયમિત એક સફરજન ખાશો તો ત્વચા સાફ અને ચમકદાર બનશે. રોજ સફરજન ખાવાથી ત્વચા યુવાન અને સ્વસ્થ રહે છે.