્ય અને શનિ એકબીજાથી 72 ડિગ્રીના ખુણે હશે ત્યારે પંચાંક યોગ બનશે. આવામાં ત્...
Panchank Yog 2025: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિ સૌથી પ્રભાવશાળી ગ્રહોમાંથી એક ગણાય છે. જે એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. શનિ જાતકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિ એક રાશિમાં લગભગ અઢી વર્ષ રહે છે. અત્રે જણાવવાનું કે શનિ વર્ષ 2027 સુધી મીન રાશિમાં રહેશે. આવામાં કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કે દ્રષ્ટિ પડતી રહેશે. શનિ પિતા સૂર્ય સાથે સંયોગ કરશે જેનાથી પંચાંક યોગ બનશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય શનિ પિતા પુત્ર હોવા છતાં શત્રુ ગણાય છે. જો કે જૂન માસમાં પિતા પુત્ર દ્વારા બનતો પંચાંક યોગ કેટલાક રાશિના જાતકો માટે લકી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને ચારેબાજુથી સફળતા મળી શકે છે. લક્ઝરી લાઈફ જીવશે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે...
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ 3 જૂનના રોજ સવારે 3.31 મિનિટ પર સૂર્ય અને શનિ એક બીજાથી 72 ડિગ્રીના ખૂણે હશે, જેનાથી પંચાંક યોગ બનશે. આ યોગનું નિર્માણ થવાથી બે ગ્રહો કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક પ્રભાવ પાડશે. જ્યારે બે ગ્રહો એકબીજાથી 72 ડિગ્રીના ખૂણે હોય ત્યારે એક ત્રિકોણ દર્શાવે છે. તેનો અર્થ થાય છે કે બંને ગ્રહો એકબીજાથી સકારાત્મક ઉર્જાનું આદાન પ્રદાન કરે છે. શનિ હાલ મીન રાશિમાં અને સૂર્ય વૃષભ રાશિમાં બિરાજમાન હશે.
આ રાશિના જાતકો માટે સૂર્ય અને શનિનો પંચાંક યોગ લાભકારી રહી શકે છે. આ રાશિના લગ્ન ભાવમાં સૂર્ય અને એકાદશ ભાવમાં શનિ બિરાજમાન છે. આવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં ખુબ સફળતા મળી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે જેનાથી તમારા વ્યક્તિત્વ પર સારી અસર પડી શકે છે. જીવનશૈલીમાં ફેરફાર આવશે, જેનાથી તમે શારીરિક અને માનસિક રીતે તંદૂરસ્ત રહી શકો છો. અટકેલા કામો પાર પડશે. ઘરમાં ચાલતી સમસ્યાઓનું સમાધાન થશે. આવામાં ફક્ત શાંતિ જ મળશે એવું નહીં પરંતુ પરિવારના સભ્યો વચ્ચે સંબંધ પણ મજબૂત થશે. તમે દરેક સ્થાને સફળ થઈ શકો છો. સંતાનની સમસ્યાઓનો ઉકેલ આવશે. નોકરીયાતોને ખુબ લાભ થઈ શકે છે. વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. જેનાથી તમે તમારા લક્ષ્યો મેળવવામાં સફળ થઈ શકો છો. આ સાથે જ નોકરીમાં પદોન્નતિના પણ યોગ છે. વેપારમાં પણ સારી એવી સફળતા મળી શકે છે. લાંબા પ્રવાસના માધ્યમથી તમે સારા એવા પૈસા કમાઈ શકો છો.
આ રાશિના જાતકો માટે શનિ અને સૂર્યનો પંચાંક યોગ ખુબ લાભકારી નીવડી શકે છે. આ રાશિના નવમ ભાવમાં શનિ અને અગિયારમાં ભાવમાં સૂર્ય રહેશે. આવામાં તમારી અનેક ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. સંબંધીઓ સાથે સારો સમય વીતી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. ધન સંપત્તિમાં ઝડપથી વધારો થઈ શકે છે. લાંબા ગાળાનું રોકાણ કરવું લાભકારી નીવડી શકે છે. કરિયરના ક્ષેત્રમાં પણ ઘણો લાભ મળી શકે છે. વેપારમાં પણ લાભ મળશે. કાર્યોમાં આવતી અડચણો પણ દૂર થઈ શકે છે. જીવનસાથી સાથે સારો સમય પસાર થઈ શકે છે. ગેરસમજ દૂર થશે. અચાનક ધનલાભના પણ યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય સારું રહેશે. આવકમાં વધારો થઈ શકે છે.
આ રાશિના જાતકો માટે સૂર્ય શનિનો પંચાંક યોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના પાંચમા ભાવમાં સૂર્ય અને ત્રીજા ભાવમાં શનિ બિરાજમાન છે. આવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષત્રમાં અપાર સફળતાની સાથે સાથે ખુબ ધનલાભ થઈ શકે છે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. જીવનમાં ખુશીઓ દસ્તક આપશે. જીવનમાં સુખ શાંતિ જળવાશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમયગાળો અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોની એકાગ્રતા વધશે, જેનાથી નવી નવી ચીજો શીખવાની તક મળશે. એકાગ્રતા મજબૂત થવાથી અભ્યાસ પર ધ્યાન આપશો. જીવનમાં ખુશીઓ આવશે. મુસાફરી થઈ શકે છે. જેનો લાભ મળી શકે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.