વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે શ્રાવણ મહિનો 11 જુલાઈથી શરૂ થવાનો છે (દેશના ઘણા ભાગોમાં શ્રાવણ મહિનો વહેલો શરૂ થાય છે) ભગવાન શિવને સમર્પિત આ મહિનામાં ગ્રહોની એક મોટી વિચિત્ર સ્થિતિ નિર્માણ પામવાની છે. વાત જાણે એમ છે કે શ્રાવણમાં 4 ગ્રહો એક સાથે વક્રી થશે. એટલેકે એક સાથે ચાર ગ્રહો ઉલ્ટી ચાલ ચલશે.
વૈદિક પંચાંગ મુજબ ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનામાં આ વખતે એક સાથે ચાર ચાર કદાવર ગ્રહો વક્રી થશે. જ્યોતિષના જાણકારો જણાવે છે કે આવો સંયોગ લગભગ 72 વર્ષ બાદ બનશે.
13 જુલાઈના રોજ ન્યાયના દેવતા શનિ વક્રી થશે. ત્યારબાદ 18 જુલાઈએ બુધની વક્રી ચાલ શરૂ થશે. જ્યારે રાહુ અને કેતુ તો પહેલેથી જ વક્રી ચાલમાં હશે. જ્યોતિષીય ગણતરીઓ મુજબ શ્રાવણમાં ચાર ગ્રહોની ઉલ્ટી ચાલ 3 રાશિના જાતકોને શુભ પરિણામ આપશે. જાણો તેમના વિશે.
આવકમાં વધારો થવાથી બેંક બેલેન્સ વધસે. નોકરીયાતોને પ્રગતિની નવી તકો મળશે. ખર્ચા ઘટશે અને ધનની બચત થશે. દાંપત્ય જીવનમાં ખુશહાલી આવશે. પતિ પત્ની વચ્ચે ચાલતો મનમોટાવ દૂર થશે. સમાજમાં માન સન્માન વધશે.
કર્ક રાશિવાળા માટે લગ્ન પ્રસંગો જેવી શુભ ઘડી આવી શકે છે. ઘરમાં કોઈના વિવાહ નક્કી થઈ શકે છે. કારોબારમાં આર્થિક લાભ થઈ શકે છે. અચાનક મોટો ધનલાભ થાય તેવા યોગ છે.
રૂપિયા પૈસા મામલે ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. કોઈને આપેલા પૈસા પાછા મળી શકે છે. આ દરમિયાન તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. નવું વાહન, ઘર, કાર કે કોઈ કિંમતી વસ્તુ ખરીદી શકો છો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)