Shani ko Shant Karne ke Saral Upay: શનિની પનોતીની વાત આવે એટલે લોકોના મનમાં ડર ઊભો થઈ જાય છે. કારણ કે શનિની પનોતી દરમિયાન વ્યક્તિને શારીરિક, માનસિક અને આર્થિક સંકટ સ્વરુપે શનિના ક્રોધનો સામનો કરવો પડે છે.
શનિની વક્ર દ્રષ્ટિ રાજાને પણ રંક બનાવી શકે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર 4 શક્તિ એવી છે જેની સામે શનિ થરથર ધ્રુજે છે. શનિદેવ પણ 4 દેવથી થરથર ધ્રુજે છે. આ શક્તિના શરણે થઈ જનાર વ્યક્તિનો વાળ પણ વાંકો શનિ ન કરી શકે.
શનિદેવ મહાદેવના શરણે થનારને હેરાન કરી શકતા નથી. ભગવાન શિવ શનિદેવના ગુરુ છે. જે વ્યક્તિ શનિ ભક્તિમાં લીન હોય છે તેના પર શનિની કુદ્રષ્ટિ પડતી નથી. શિવજીએ જ શનિદેવને ન્યાયાધીશ બનાવ્યા છે.
હનુમાનજીએ તો બાલ અવસ્થામાં જ શનિના અહંકારને તોડી નાખ્યો હતો. શનિદેવ હનુમાનજીથી ડરે છે. હનુમાન ભક્તને પણ શનિદેવ કષ્ટ દેતા નથી.
શનિદેવ શ્રીકૃષ્ણના પરમ ભક્તોમાંથી એક છે. કૃષ્ણ તેમના આરાધ્ય દેવ છે. તેથી શનિ તેમનાથી પણ ડરે છે. શનિની સાડાસાતી દરમિયાન કૃષ્ણ ભક્તિ કરનારને કોઈ કષ્ટ થતા નથી.
પૌરાણિક માન્યતા અનુસાર શનિદેવને પીપળાના ઝાડથી પણ ડર લાગે છે. શનિવારે જે વ્યક્તિ પીપળા નીચે સરસવના તેલનો દીવો કરે છે તેના જીવનમાં કષ્ટ હોય તો પણ શનિદેવ દુર કરે છે.