PHOTOS

Shani Gochar: શનિના રાશિ પરિવર્તનથી આ રાશિઓને થશે મહાલાભ, 3 રાશિઓ સાડાસાતી અને ઢૈયાથી થશે મુક્ત


Shani Gochar: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ ગ્રહ સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ છે. શનિ એકમાત્ર ગ્રહ છે જેને સાડાસાતી અને ઢૈયાની શક્તિ પ્રાપ્ત છે. આ સમય દરમિયાન વ્યક્તિને શનિ તેના કર્મ અનુસાર શુભ-અશુભ ફળ આપે છે. હાલની વાત કરીએ તો કુંભ રાશિમાં ગોચર કરતાં શનિના કારણે ત્રણ રાશિઓની સાડાસાતી અને ઢૈયા ચાલી રહી છે. 

Advertisement
1/5
શનિ મીન રાશિમાં
શનિ મીન રાશિમાં

શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. હાલ શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે. વર્ષ 2025 માં 29 માર્ચે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિના આ રાશિ પરિવર્તનથી ત્રણ રાશિના લોકોને જબરદસ્ત ફાયદો મળવાની શરૂઆત થશે. આ ત્રણ રાશિને સાડાસાતી અને ઢૈયાથી મુક્તિ મળી જશે. 

2/5
કર્ક રાશિ 
કર્ક રાશિ 

વર્ષ 2025 માં 29 માર્ચે શનિ કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે. જેનો સૌથી વધુ ફાયદો કર્ક રાશિને થશે. આ રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. મીન રાશિમાં શનિ પ્રવેશ કરશે એટલે કર્ક રાશિની ઢૈયા સમાપ્ત થઈ જશે. ત્યાર પછી કર્ક રાશિના લોકોના જીવનમાં સફળતાઓનો સમય શરૂ થશે. 29 માર્ચ 2025 પછી આ રાશિના લોકો બેશુમાર ધન કમાશે. 

Banner Image
3/5
વૃશ્ચિક રાશિ 
વૃશ્ચિક રાશિ 

શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે એટલે વૃશ્ચિક રાશિના લોકોને પણ ઢૈયાથી મુક્તિ મળી જશે.  ઢૈયાની અસરથી મુક્ત થવાથી વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં સારો સમય શરૂ થશે. આ સમય દરમિયાન તેઓ અઢળક ધન પ્રાપ્ત કરશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. વેપારીઓનો શાનદાર સમય શરૂ થશે. સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે પરંતુ જીવનમાં ખુશીઓ વધશે. 

4/5
મકર રાશિ 
મકર રાશિ 

મકર શનિની સ્વરાશિ છે. મીન રાશિમાં પ્રવેશ સાથે મકર રાશિના લોકો સાડાસાતીથી મુક્ત થઈ જશે. ન્યાયના દેવતા શનિ વર્ષ 2025 માં મકર રાશિના લોકોને અઢળક લાભ કરાવશે. આ રાશિના લોકોના આર્થિક સંકટ દૂર થવા લાગશે. ધનની તંગીથી છુટકારો મળી જશે. અટકેલા કામ પૂરા થવા લાગશે.

5/5




Read More