ચના રોજ મીન રાશિમાં ગોચર કર્યું. જ્યાં અઢી વર્ષ સુધી રહેશે. જન્મ કુંડળીમાં ચંદ્રમા પહેલા, છઠ્ઠા કે અગિયારમાં ભાવે હોય તો...
કર્મફળના દાતા શનિ ખુબ પ્રભાવશાળી ગ્રહ ગણાય છે. તેમની સ્થિતિમાં જરા પણ ફેરફાર દરેક રાશિના જાતકોના જીવનમાં પ્રભાવ પાડે છે. શનિ હાલમાં જ માર્ચ મહિનામાં મીન રાશિમાં ગોચર કર્યું. અહીં તેઓ અઢી વર્ષ સુધી રહેશે. જ્યારે શનિ કોઈ રાશિમાં ગોચર કરે છે ત્યારે સોના, ચાંદી, લોઢા અને તાંબાના પાયે પણ ચાલે છે. જેની અસર જાતકો પર પડે છે. 12 રાશિમાંથી 3-3 રાશિઓ દરેક પાયા સંબંધિત હોય છે. આવામાં મીનમાં ગોચર બાદ શનિ 3 રાશિ પર સોનાના પાયે ચાલી રહ્યા છે. જેના કારણે તેમને ભાગ્યનો સાથ મળશે અને સાથે સાથે લક્ષ્મીમાતાની વિશેષ કૃપા રહેશે.
આ રાશિમાં શનિ છઠ્ઠા ભાવમાં બિરાજમાન રહેશે. આવામાં આ રાશિના જાતકો પર શનિની વિશેષ કૃપા રહેશે. ગુરુની કૃપાથી લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. ધનની કમી નહીં રહે. માન સન્માન વધશે. નવી ઉપલબ્ધિઓ મળી શકે છે. જીવનથી સંતુષ્ટ રહી શકો છો. નોકરીમાં થઈ રહેલી મહેનતમાં હવે સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રે તમને સફળતા મળી શકે છે. મોટી જવાબદારી મળી શકે છે. અચાનક ધનલાભના યોગ છે. પરંતુ થોડો સંઘર્ષ કરવો પડશે. વર્ષ 2027 સુધી પોતાને માનસિક અને શારીરિક રીતે તૈયાર રાખો. પરિવારમાં થોડી મુશ્કેલીઓ પણ આવી શકે છે. શત્રુઓ ઊભા થશે પરંતુ તમારી સામે ટકી શકશે નહીં.
આ રાશિમાં શનિ એકાદશ ભાવમાં બિરાજમાન છે. આ રાશિમા શનિ સોનાના પાયે ચાલી રહ્યા છે. આવામાં જાતકોના જીવનમાં ઘણી મૂંઝવણો પણ આવી શકે છે. આ સાથે તમે જો સચેત અને સાવધાન રહેશો તો ધનલાભ થઈ શકે છે. શત્રુઓ સાથે પરેશાની રહેશે પરંતુ તમે દરેક પડકારને પાર કરી શકશો. સ્વાસ્થ્ય સારું રાખવા માટે સારી લાઈફ સ્ટાઈલ રાખો. આ રાશિના જાતકોને પદ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. અચાનક ધનલાભના પણ યોગ છે. તમારા દ્વારા કરાયેલી ભૂલોને સુધારવાની કોશિશ કરજો. તેનાથી સંતોષ મળશે. ગણેશજીની ઉપાસના કરવાથી તમને શુભ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે. તેમને ભોગમાં લાડુ ધરાવો.
મીન રાશિના લગ્ન ભાવમાં શનિ બિરાજમાન રહેશે. આવામાં આ રાશિના જાતકોને અન્ય રાશિઓથી વધુ પ્રભાવ જોવા મળી શકે છે. આ રાશિના જાતકોને ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. સમાજમાં માન સન્માનમાં વધારો થઈ શકે છે. ધન, સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વીતી શકે છે. તમારે તમારા પોતાના પર ધ્યાન આપવાની જરૂર છે. માનસિક, શારીરિક શાંતિ મળી શકે છે. અનેક પડકારોનો સામનો કરતા આગળ વધશો. તણાવથી મુક્તિ મેળવવા માટે હનુમાનજી અને દુર્ગાજીની કામના કરો. શત્રુઓનો વિનાશ થશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)