Shani Gochar 2024: કર્મ અનુસાર ફળ આપનાર શનિદેવ હાલ વક્રી ચાલી રહ્યા છે. વક્રી અવસ્થામાં જ શનિ 18 ઓગસ્ટ અને રવિવારે નક્ષત્ર પરિવર્તન કરશે. શનિ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના પ્રથમ પદમાં પ્રવેશ કરશે. શનિની ચાલમાં થનાર આ ફેરફાર બધી જ રાશિઓને અસર કરશે પરંતુ 3 રાશિના લોકોનું શનિ ભાગ્ય પરિવર્તન કરશે.
મેષ રાશિના લોકોને શનિનું નક્ષત્ર પરિવર્તન અનુકૂળ રહેશે. વેપારીઓને કારોબારમાં ધનલાભ થશે. ઉધાર આપેલા રૂપિયા પરત મળશે. પાર્ટનરની મદદથી કામ-ધંધાનો વિસ્તાર થશે. નોકરી કરતા લોકોની આવક વધશે. કામનું ભરણ ઓછું થવાથી માનસિક ચિંતા ઓછી થશે.
શનિનું નક્ષત્ર પરિવર્તન તુલા રાશિના લોકો માટે પણ લાભકારી રહેશે. ધનલાભ થવાની સંભાવના. વેપારમાં સૌથી વધુ ફાયદો થશે. ઉપરી અધિકારીઓની મદદથી પ્રોજેક્ટ પૂર્ણ થશે. ધન સંબંધિત ચિંતાઓ દૂર થશે. સ્વાસ્થ્ય સુધરશે. મન પ્રસન્ન રહેશે.
મકર રાશિના લોકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન ફાયદાકારક રહેશે. વેપાર સંબંધિત સમસ્યા દુર થવાના યોગ છે. વેપારમાં મોટી ડીલ મળવાથી ધનનું સંકટ દૂર થશે. બચતમાં વધારો થશે. નોકરી કરતા લોકોની આવક વધશે. સંપત્તિની ખરીદી થઈ શકે છે. પારિવારિક જીવનમાં ખુશીઓ વધશે.