Shani Rashi Parivartan: હિંદુ પંચાંગ અનુસાર 14 માર્ચે હોળી ઉજવાશે અને તેના 15 દિવસ પછી 29 માર્ચે શનિ કુંભ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે. શનિનું રાશિ પરિવર્તન વર્ષનું સૌથી મહત્વપૂર્ણ ગોચર હશે.
શનિના મીન રાશિમાં પ્રવેશથી 3 રાશિઓના લોકોને ખૂબ લાભ થઈ શકે છે. આ 3 રાશિઓ માટે તો 29 માર્ચ પછીનો સમય ગોલ્ડન ટાઈમ હશે. એકાએક તેમનું ભાગ્ય પલટી ગયું હોય તેવો અનુભવ થઈ શકે છે. આ રાશિઓ કઈ છે અને તેમને કેવા લાભ થશે ચાલો તમને જણાવીએ.
કર્ક રાશિના લોકોને શનિ ગોચરથી સૌથી વધુ લાભ થશે. ભૌતિક સુખ વધશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે. શનિ દેવની કૃપાથી અટકેલા કામ પુરા થશે. આર્થિક સ્થિતિ સુધરશે. દાંપત્યજીવનમાં પ્રેમ વધશે.
હોળી પછી શનિના રાશિ પરિવર્તનથી વૃશ્ચિક રાશિના લોકોના કરિયાર અને કારોબારમાં નફો વધશે. અગાઉ કરેલા રોકાણથી મોટો નફો થઈ શકે છે. પરિવારમાં ખુશીઓ વધશે. અટકેલું ધન પરત મળશે. પ્રમોશન કે ઈંક્રીમેંટ મળી શકે છે.
મીન રાશિમાં શનિના પ્રવેશથી મકર રાશિના લોકોની સાડાસાતી પુરી થઈ જશે. સ્વાસ્થ્ય સુધરવા લાગશે. બગડેલા કામ પણ બનવા લાગશે. અટકેલું ધન અચાનક પ્રાપ્ત થશે. પરિવારનો સહયોગ મળવા લાગશે.નોકરી કરતા લોકોનું પ્રમોશન થઈ શકે છે.