Shani Vakri 2025: શનિની ચાલ સીધી હોય કે ઉલલ્ટી સામાન્ય રીતે લોકોના મનમાં શનિ દેવ પ્રત્યે ડરની ભાવના રહે છે. જલ્દી શનિ વક્રી થવાના છે અને પાંચ રાશિના જાતકોને શુભ ફળ આપશે.
Shani Vakri 2025 Lucky Zodiac Signs: કર્મફળ દાતા શનિદેવ વર્ષ 2025મા મહત્વપૂર્ણ ફેરફાર કરી રહ્યાં છે. આ વર્ષે શનિએ ગોચર કરી મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. હવે 13 જુલાઈથી શનિદેવ વક્રી થઈ રહ્યાં છે. તે 28 નવેમ્બર 2025 એટલે કે 138 દિવસ બાદ માર્ગી થશે.
વક્રી શનિ એટલે કે શનિની ઉલ્ટી ચાલ પાંચ રાશિના જાતકોને વિશેષ લાભ અપાવશે, જેના પર શનિની સાડાસાતી કે પનોતી ચાલી રહી છે.
મેષ રાશિ પર શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો છે. આ જાતકો માટે શનિની વક્રી ચાલ શુભ ફળ આપશે. આર્થિક લાભ થઈ શકે છે. અટવાયેલા પૈસા મળશે. આવકમાં વધારો થઈ શકે છે. વેપારીઓને લાભ થશે.
કન્યા રાશિના જાતકોને વક્રી શનિ શત્રુઓથી રાહત અપાવશે. કારોબારમાં લાભ થશે. સરકાર તરફથી તમને ફાયદો થઈ શકે છે. આ દરમિયાન આવક પણ વધશે.
વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિની ઉલ્ટી ચાલ ફાયદો કરાવશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. શિક્ષણ સાથે જોડાયેલા કામમાં સફળતા મળી શકે છે. આવકમાં વધારો થશે.
ધન રાશિના જાતકોને શનિની વક્રી ચાલ લાભ અપાવી શકે છે. આ જાતકો પર શનિની પનોતી ચાલી રહી છે. આ 138 દિવસમાં આર્થિક રાહત મળશે. તમે પૈસા બચાવવામાં સફળ રહેશો. કારોબારમાં કોઈ ફાયદાકારક ડીલ કે ભાગીદારી થઈ શકે છે.
મીન રાશિના જાતકો પર શનિની સાડાસાતીનો બીજો તબક્કો છે, જેને સૌથી વધુ કષ્ટદાયી માનવામાં આવે છે. શનિની વક્રી ચાલ તેને સાડાસાતીના દુખમાં રાહત આપશે. ધનલાભ થઈ શકે છે. તણાવ ઓછો થશે. સમસ્યાઓ દૂર થશે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.