PHOTOS

500 વર્ષ બાદ જુલાઈમાં બનશે દુર્લભ સંયોગ, મિથુન સહિત 3 રાશિવાળા રાજા જેવું સુખ ભોગવશે, છપ્પરફાડ લાભ થશે

ાં ગુરુ અને શનિની ચાલમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. જેનાથી કેટલીક રાશિના જાતકોની કરિય...

Advertisement
1/5

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે વક્રી અને ઉદિત થતા રહે છે. જેની મોટા પાયે લોકોના જીવન પર અસર પડે છે. જુલાઈ મહિનામાં કર્મફળદાતા શનિ વક્રી અને દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ઉદિત થવા જઈ રહ્યા છે. જેનાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે આ રાશિઓની આવકમાં વધારો ને કરિયરમાં પદોન્નતિના યોગ બની રહ્યા છે. જાણો તે લકી રાશિઓ વિશે...

2/5
મિથુન રાશિ
મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે શનિ અને ગુરુની ચાલમાં ફેરફાર લાભકારી નીવડી શકે છે.  કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી લગ્ન ભાવ પર ઉદિત થશે અને શનિ દેવ કર્મ  ભાવ પર વક્રી થશે. આથી આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. બેરોજગારોને નોકરી મળી શકે છે. બિઝનેસમાં મોટો ફાયદો થઈ શકે છે. નોકરીમાં પ્રગતિ થશે. મોટા લક્ષ્યો મેળવવા અને નવી યોજના ઘડવા માટે શાનદાર સમય છે. મોટો આર્થિક લાભ થાય તેવા યોગ છે. 

Banner Image
3/5
વૃષભ રાશિ
વૃષભ રાશિ

શનિદેવનું વક્રી થવું અને ગુરુ ગ્રહનું ઉદિત થવું એ વૃષભ રાશિના જાતકો માટે ખુબ સકારાત્મક સિદ્ધ થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી ધનના ભાવ પર ઉદિત થશે જ્યારે શનિદેવ આવકના ભાવ પર વક્રી  થશે. આથી આ સમય દરમિાયન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. રોકાણ માટે સારો સમય છે. આ સમય દરમિયાન તમારું ભાગ્ય ચમકશે અને લાંબો પ્રવાસ કરી શકો છો. આર્થિક સ્થિતિ સારી થશે અને અટવાયેલા પૈસા પાછા મળશે. આવકના નવા નવા સ્ત્રોત બની શકે છે. 

4/5
ધનુ રાશિ
ધનુ રાશિ

ધનુ રાશિના જાતકો માટે શનિનું વક્રી થવું અને ગુરુ ગ્રહનું ઉદિત થવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી સપ્તમ સ્થાન પર તો શનિ દેવ ચતુર્થ ભાવ પર વક્રી થશે. આથી આ સમય દરમિયાન તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. પરિણીત લોકોનું જીવન શાનદાર રહેશે. જે લોકો રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી અને જમીન સંપત્તિ સંલગ્ન કામકાજ કરતા હોય તેમને સારો લાભ થઈ શકે છે.   

5/5
Disclaimer:
Disclaimer:

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.





Read More