જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો સમયાંતરે શુભ અશુભ યોગ બનાવતા રહે છે. કર્મફળદાતા અને ન્યાયધીશ શનિ 13 જુલાઈના રોજ વક્રી થવા જઈ રહ્યા છે. જેનાથી વિપરीત રાજયોગ બનશે. આ રાજયોગની અસર તમામ રાશિઓ પર પડશે પરંતુ 3 રાશિઓ એવી છે જેને આ સમય દરમિયાન ધનલાભ અને કરિયર બિઝનેસમાં પ્રગતિના યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...
કર્ક રાશિના જાતકો માટે વિપરीત રાજયોગ બનવો સકારાત્મક સિદ્ધ થઈ શકે છે. આ સમય દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. તમારા સંબંધોમાં સુધાર અને નવા સંબંધોની શરૂઆત માટે અનુકૂળ સમય રહેશે. બિઝનેસ પાર્ટનરશીપમાં લાભ થશે. મેરિડ લાઈફ સારી રહેશે. ગુરુની યુતિ તમારા સંબંધોમાં સ્થિરતા અને સમજદારી લાવશે. નોકરીયાતોની પદોન્નતિ થઈ શકે છે. કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે.
વિપરीત રાજયોગનું બનવું મકર રાશિના જાતકોને શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. આ સમય દરમિાયન બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. આ દરમિયાન તમારા વ્યક્તિત્વને નિખાર અને સામાજિક પ્રતિષ્ઠા વધારવાનો યોગ છે. કરિયરમાં નવી ઉપલબ્ધિઓ મળશે અને વિદ્યાર્થીઓને શિક્ષણમાં સફળતા મળશે. વેપારીઓ માટે આ સમય નફો કમાવવાનો અને નવી યોજનાઓ લાગૂ કરવાનો છે. આ દરમિયાન તમને માન સન્માન અને પ્રતિષ્ઠા મળી શકે છે. ધનની બચત કરી શકો છો.
મિથુન રાશિવાળા માટે વિપરीત રાજયોગનું બનવું લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ સમય તમને કામકાજમાં ખાસ પ્રગતિ કરાવી શકે છે. કાર્યક્ષેત્રે સફળતા મળશે અને નોકરીમાં પ્રમોશનના યોગ છે. વેપારમાં નવી ડીલ કે પાર્ટનરશીપથી લાભ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ સમયગાળામાં વેપારીઓના કારોબારનો વિસ્તાર થઈ શકે છે. સમજી વિચારેલી યોજનાઓ સફળ થશે. ઈચ્છાઓની પૂર્તિ થશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.