PHOTOS

Shardiya Navratri: 251 સ્વરૂપોમાં શણગાર્યો માં દુર્ગાનો દરબાર, ગિનિઝ બુકમાં નોંધાઇ શકે છે નામ

Shardiya Navratri: દેશભરમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દેવી માતાની ઘણી વિશેષ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. એવામાં મધ્યપ્રદેશના બાલાઘાટના બૈહારમાં માતાના 251 સ્વરૂપોની સ્થાપના કરવામાં આવી હતી. જુઓ ખાસ તસવીરો.

Advertisement
1/10

આજે મહાનવમી પર અમે તમને મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં આવેલા બૈહારના ખાસ દુર્ગા પંડાલના દર્શન કરાવી રહ્યા છીએ.

2/10

બૈહારમાં આયોજિત ઉત્સવમાં માતાના 251 સ્વરૂપોની સ્થાપના કરવામાં આવી હતી. હવે શક્ય છે કે આ ઘટનાનું નામ ગિનિસ બુકમાં નોંધાય શકે છે.

Banner Image
3/10

આદિશક્તિ મા દુર્ગાની ઉપાસના અને આરાધનાનું પર્વ શારદીય નવરાત્રિ દેશભરમાં ભક્તિ, આસ્થા અને ભક્તિ સાથે ઉજવાઈ રહી છે.

4/10

સમગ્ર દેશમાં નવરાત્રિ પર માતાના વિભિન્ન સ્વરૂપોની મનોહરી પ્રતિમાઓ સાર્વજનિક સ્થળો પર બિરાજમાન કરવામાં આવી છે. 

5/10

બાલાઘાટ જિલ્લાના બૈહારમાં 251 રૂપમાં શણગારેલા માના દરબારની સુંદરતા જ અલગ છે, જેને જોવા માટે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ, ગુજરાત અને દેશના અન્ય સ્થળોએથી સેંકડો ભક્તો અહીં પહોંચી રહ્યા છે.

6/10

તેમાં દેશના અલગ અલગ દેવી મંદિરોમાં બિરાજમાન આદિશક્તિ માની મનોહારી પ્રતિમાઓને એક સ્થાન પર 251 સ્વરૂપોમાં બિરાજમાન કરવામાં આવે છે. 

7/10

નવરાત્રિ પર સાર્વજનિક દુર્ગોત્સવ સમિતિ બસ સ્ટેન્ડની આ ઘટના દેશની પ્રથમ ઘટના છે, જે એક સાથે 251 પ્રતિમાઓનું સ્થાપન કરવાનો નવો રેકોર્ડ બનાવવા જઈ રહી છે.

8/10

નવરાત્રિ પર એકમથી નવમી સુધી દરરોજ શતચંડી યજ્ઞ કરવામાં આવે છે, જેને પૂર્ણ કરવા માટે બનારસથી 11 પૂજારીઓ આવ્યા છે. પંડાલ ઉપરાંત અન્ય તમામ વ્યવસ્થા 35 હજાર ચોરસ ફૂટમાં કરવામાં આવી છે.

9/10

આ આયોજન ભવિષ્યમાં લિમ્કા અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાઈ શકે છે. 27મી ઓક્ટોબરે શરદ પૂર્ણિમાના દિવસે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે.

10/10

તમને જણાવી દઇએ કે દર વર્ષે દુર્ગા ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દરમિયાન બૈહરની આ દુર્ગા ઉત્સવ સમિતિ દર વર્ષે કંઇક નવું ખાસ કરે છે. 





Read More