> IPL 2025ની વચ્ચે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરને મોટી ભેટ ...
IPL 2025માં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી રહેલા શ્રેયસ અય્યરને ICC તરફથી મોટું ઈનામ મળ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેના શાનદાર પ્રદર્શન માટે તેને એવોર્ડ આપવામાં આવ્યો છે.
શ્રેયસ અય્યરે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા માટે શ્રેયસ અય્યર ટોપ સ્કોરર હતો. અય્યરે ટીમ ઈન્ડિયા માટે કુલ 243 રન બનાવ્યા હતા.
અય્યરને માર્ચ મહિના માટે પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડના જેક ડફી અને રચિન રવિન્દ્ર પણ આઈસીસી પ્લેયર ઓફ ધ મન્થની રેસમાં હતા. જો કે, શ્રેયસે આ બાજી જીતી લીધી છે.
આ સતત બીજી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાના કોઈ ખેલાડીને આઈસીસી પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મળ્યો હોય. શુભમન ગીલે ફેબ્રુઆરી મહિનામાં આ એવોર્ડ જીત્યો હતો.
શ્રેયસ અય્યર હાલમાં IPL 2025માં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. IPL 2025ની 5 મેચોમાં શ્રેયસ અય્યરે 83.33ની એવરેજથી 250 રન બનાવ્યા છે.