PHOTOS

જુલાઈમાં ધન-વૈભવના દાતા ત્રણ વખત કરશે ગોચર, રૂપિયાથી ભરાઈ જશે આ જાતકોની તિજોરી

ે જુલાઈમાં શુક્ર ગ્રહની ચાલમાં ત્રણવાર ફેરફાર થવાનો છે. જેનાથી કેટલાક ...

Advertisement
1/6
શુક્ર ગોચર
 શુક્ર ગોચર

વૈદિક જ્યોતિષમાં શુક્ર ગ્રહને ધન, વૈભવ, પ્રેમ, વિલાસતા, એશ્વર્ય, લગ્ન સુખ અને વૈભવનો કારક માનવામાં આવે છે. તેથી જ્યારે પણ શુક્ર ગ્રહની ચાલમાં ફેરફાર થાય છે તો આ સેક્ટરો પર ખાસ પ્રભાવ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે શુક્ર ગ્રહ જુલાઈમાં ત્રણ વાર પોતાની ચાલમાં ફેરફાર કરશે. જેમાં તે સૌથી પહેલા 8 જુલાઈએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે, જ્યાં પર 20 જુલાઈ સુધી રહેશે. 20 જુલાઈએ શુક્રદેવ મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરશે.

2/6

તો મહિનાના અંત પહેલા 26 જુલાઈ 2025ના શુક્ર મિથુન રાશિમાં ગોચર કરશે. તેવામાં શુક્ર ગ્રહ ત્રણ વખત પોતાની ચાલમાં પરિવર્તન કરશે, જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે કરિયર અને કારોબારમાં પ્રગતિ થશે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

Banner Image
3/6
તુલા રાશિ
 તુલા રાશિ

તમારા લોકો માટે શુક્ર ગ્રહની ચાલમાં ત્રણવાર ફેરફાર શુભ સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ પોતાની રાશિથી નવમ ભાવ પર સંચરણ કરવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. સાથે આર્થિક દ્રષ્ટિથી જુલાઈ મહિનો કારોબારી અને નોકરી કરનાર જાતકોના હિલમાં રહેશે. આ સમયે તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. સાથે નોકરી કરનાર લોકોને કાર્યસ્થળ પર જુનિયર અને સીનિયરનો સાથ મળશે. આ દરમિયાન તમે ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો.

4/6
સિંહ રાશિ
 સિંહ રાશિ

શુક્ર ગ્રહની ચાલમાં ત્રણવાર ફેરફાર સિંહ રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી આવક અને લાભના સ્થાન પર સંચરણ કરવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. સાથે આ દરમિયાન તમને રોકાણથી લાભ થઈ શકે છે. તમારી પ્રતિભા અને ઉત્પાદકતા વધશે. તમારી પ્રતિભાને ઓળખ મળશે. સાથે દાંપત્ય જીવન અને લવ લાઇફ સારી રહેશે. આ સમયે ઈચ્છાઓની પૂર્તિ થશે.

5/6
ધન રાશિ
 ધન રાશિ

શુક્ર ગ્રહની ચાલમાં ત્રણ પરિવર્તન ધન રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી સપ્તમ ભાવ પર સંચરણ કરશે. તેથી આ સમયે પરિણીત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. સાથે પરિણીત લોકોના ખરાબ સંબંધોમાં સુધાર થશે. જૂના રોકાણથી અચાનક લાભ થશે અને આર્થિક સંકટ દૂર થશે. સાથે આ સમય તે વિદ્યાર્થીઓ માટે સારો છે જે માસ કમ્યુનિકેશન, પત્રકારત્વ, થિએટર કે એક્ટિંગનો અભ્યાસ કરી રહ્યાં છે. ભાગીદારીમાં કામ કરવાથી લાભ થઈ શકે છે. કુંવારા લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.

6/6

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.





Read More