Shukra Vakri In Pisces: શુક્ર ગ્રહ મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે, જેનાથી આ 3 રાશિના લોકો પર સકારાત્મક અસર કરશે. અચાનક નાણાંકીય લાભથી લઈ વૈભવ અને બુદ્ધિમાં વધારો થવાનો યોગ બનશે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
આ વર્ષે હોળીનો તહેવાર 14 માર્ચે છે, પરંતુ તેના થોડા દિવસો પહેલા શુક્ર ગ્રહ પોતાની ચાલમાં બદલવા કરવાનો છે. હોળી પહેલા ધન અને વૈભવનો કારક શુક્ર ગ્રહ 2 માર્ચે વક્રી થવા જઈ રહ્યો છે.
શુક્ર ગ્રહની ચાલ બદલવાથી અને વક્રી થવાનો મતલબ છે કે તે હવે વિરુદ્ધ દિશામાં ચાલશે. પોતાની ઉચ્ચ રાશિ મીનમાં શુક્ર ગ્રહની ચાલ વક્રી થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે.
શુક્ર ગ્રહની ચાલ બદલવાથી અને મીન રાશિમાં વક્રી થવાથી ત્રણ રાશિઓ પર સકારાત્મક પ્રભાવ પડી શકે છે. આ સમયે ધન-સંપત્તિમાં પુષ્કળ વધારો થવાની સાથે બુદ્ધિમાં પણ વધારો થઈ શકે છે. ચાલો જાણીએ કે તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
શુક્ર ગ્રહની વિપરીત ચાલથી કર્ક રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. જાતકની કિસ્મત આ સમયગાળા દરમિયાન ચમકી શકે છે. ધાર્મિક કાર્યોમાં જાતકની વિશેષ રૂચિ હોઈ શકે છે. આર્થિક રીતે જાતક માટે સમય ખૂબ જ શુભ રહેવાનો છે.
કર્ક રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. રચનાત્મક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. આ સમયગાળામાં પ્રવાસ લાભદાયી બની શકે છે. પ્રમોશન અને આવકમાં વધારો થઈ શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે. પ્રેમ સંબંધો સુધરશે.
ધન રાશિના જાતકો માટે શુક્ર ગ્રહની વક્રી થવાથી સારા સમયની શરૂઆતનું કારક બની શકે છે. આ સમયે જાતકના ભૌતિક સુખમાં વધારો થઈ શકે છે. નોકરી શોધી રહેલા જાતકને આ સમયગાળા દરમિયાન સારા સમાચાર મળી શકે છે. કાર્યસ્થળ પર પ્રમોશનનો યોગ બની શકે છે.
ધન રાશિના જાતકોની આવકમાં વધારો થવાની યોગ બનશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. પ્રેમ સંબંધોમાં પણ સુધારના માર્ગો ખુલશે. જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. વાહન અથવા મિલકત ખરીદવાની તક મળી શકે છે. માતા-પિતા સાથેના સંબંધો પહેલા કરતા વધુ ગાઢ બનશે.
મીન રાશિના જાતકોને શુક્ર ગ્રહની વક્રી થવાથી ઘણો ફાયદો કરાવી શકે છે. જાતકને વ્યક્તિત્વમાં આશ્ચર્યજનક સુધારો થઈ શકે છે. લવ લાઈફમાં સુધારા સાથે મધુરતામાં વધારો થઈ શકે છે. કરિયર અને બિઝનેસમાં સકારાત્મક બદલાવ આવી શકે છે.
મીન રાશિના જાતકોને આ સમયગાળામાં માનસિક શાંતિ મળી શકે છે. બેરોજગાર જાતકને સારા સમાચાર મળી શકે છે. પારિવારિક વિવાદો અને વિવાહિત જીવનમાં ચાલી રહેલી અશાંતિ દૂર થશે. પરિણીત લોકો વચ્ચે પ્રેમ વધશે. અપરિણીત લોકો નવા પ્રેમ સંબંધમાં પડી શકે છે. ભાગીદારીના ધંધામાં મોટો નફો મળી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)