PHOTOS

Vastu Tips: આજે માતા લક્ષ્મીને પૂજામાં ચઢાવો આ ફૂલ, મળશે ધનવાન બનવાના આર્શિવાદ

Vastu Plant For Maa Lakshmi: વાસ્તુશાસ્ત્રમાં આવા ઘણા છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ઘરમાં રાખવાથી વ્યક્તિનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જાય છે. એવો જ એક છોડ છે જાસૂદ. તેને લક્ષ્મીમાતાનું પ્રિય માનવામાં આવે છે. જાણો આ સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો.

Advertisement
1/5
મા લક્ષ્મીનું પ્રિય ફૂલ
મા લક્ષ્મીનું પ્રિય ફૂલ

હિંદુ માન્યતાઓ અનુસાર, કોઈને કોઈ ફૂલ ખાસ કરીને દરેક ભગવાનને પ્રિય હોય છે. મંદિરમાં કે ઘરમાં કોઈ પણ દેવી-દેવતાની પૂજા કરવામાં આવે તો તેમના મનપસંદ ફૂલ ચઢાવીને તેમની પૂજા કરવામાં આવે તો તેઓ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. જાસૂદ એક એવું ફૂલ છે, જે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. એવું માનવામાં આવે છે કે આ ફૂલ ઘરમાં ખુશહાલી લાવે છે અને વ્યક્તિની સમસ્યાઓ દૂર કરે છે.  

2/5
ધનને આકર્ષિત કરે છે આ દિશા
ધનને આકર્ષિત કરે છે આ દિશા

વાસ્તુ અનુસાર જો કોઈ વ્યક્તિ ઈચ્છે છે કે દેવી લક્ષ્મીની કૃપા તેના પર રહે તો ઘરની પૂર્વ દિશામાં જાસૂદનો છોડ લગાવો. તેની સાથે આ દિશા જીવનમાં સમૃદ્ધિ જાળવી રાખવામાં પણ મદદ કરે છે.

Banner Image
3/5
આ રીતે હનુમાનજીના આશીર્વાદ મેળવો
આ રીતે હનુમાનજીના આશીર્વાદ મેળવો

જો તમે હનુમાનજીની કૃપા પોતાના પર બનાવી રાખવા માંગતા હોવ તો મંગળવારે મંદિરમાં તેમને જાસૂદનું ફૂલ ચઢાવો. આમાંથી એક ફૂલ ઘરની તિજોરીમાં રાખવાથી જીવનમાં હંમેશા સમૃદ્ધિ આવે છે.

4/5
સકારાત્મક ઉર્જાનો વધે છે પ્રવાહ
સકારાત્મક ઉર્જાનો વધે છે પ્રવાહ

લાલ કે પીળા જાસૂદના ફૂલનો છોડ ઘરમાં સકારાત્મકતા લાવવામાં મદદ કરે છે. તેને ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં મૂકી શકાય છે. આ છોડ વ્યક્તિનો ઉત્સાહ વધારવા અને સારા સૌભાગ્ય લાવવામાં મદદ કરે છે.

5/5
શરૂ થશે પૈસાનો વરસાદ
શરૂ થશે પૈસાનો વરસાદ

જો વ્યક્તિના હાથમાં પૈસા ટકતા નથી, ફાલતૂ કામમાં વેડફાય જાય છે તો વાસ્તુ અનુસાર બતાવવામાં આવેલા આ ઉપાયો અપનાવો. તેના માટે શુક્રવારે દેવી લક્ષ્મીને જાસૂદનું ફૂલ ચઢાવો. તેનાથી ખર્ચ પર અંકુશ તો આવશે જ સાથે સાથે આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે.





Read More