PHOTOS

Bhuna Chana: આ તકલીફ હોય તો શેકેલા ચણાનો એક દાણો પણ ન ખાવો, ખાવાથી શરીરને થાય છે ગંભીર નુકસાન

Bhuna Chana: શેકેલા ચણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં પ્રોટીન ફાઇબર, વિટામિન અને મિનરલ ભરપૂર માત્રામાં હોય છે. શેકેલા ચણા એટલે કે દાળિયા ને પ્રોટીનનો મુખ્ય સોર્સ માનવામાં આવે છે જેનાથી મસલ્સ મજબૂત થાય છે. શેકેલા ચણા એક નહીં અનેક ફાયદા કરે છે. પરંતુ કેટલાક લોકો માટે શેકેલા જણા મુસીબતનું કારણ પણ બની શકે છે. 

Advertisement
1/5
કિડનીની સમસ્યા 
કિડનીની સમસ્યા 

જે લોકોને કિડની સંબંધિત બીમારી હોય તેમણે શેકેલા ચણા ખાવામાં સાવધાની રાખવી. ચણામાં પ્રોટીન અને ફોસ્ફરસ વધારે હોય છે જે કિડની માટે હાનિકારક સાબિત થાય છે. નબળી કિડની હોય તો આ તત્વ સારી રીતે ફિલ્ટર થતા નથી. 

2/5
પાચનની સમસ્યા 
પાચનની સમસ્યા 

શેકેલા ચણામાં ફાઇબર પણ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ વધારે માત્રામાં શેકેલા ચણા ખાવામાં આવે તો પેટમાં ગેસ, અપચો, પેટમાં દુખાવો થઈ શકે છે. તેનાથી એસિડિટીની સમસ્યા પણ થાય છે.

Banner Image
3/5
યુરિક એસિડ 
યુરિક એસિડ 

શેકેલા ચણા ખાવાથી યુરિક એસિડ વધી શકે છે. જે લોકોને ગાઉડ જેવી સમસ્યા હોય તેમણે શેકેલા ચણા ખાવાનું ટાળવું જોઈએ. તેનાથી યુરિક એસિડ સંબધિત સમસ્યા વધી શકે છે.

4/5
બ્લડ સુગર 
બ્લડ સુગર 

શેકેલા ચણામાં કાર્બોહાઇડ્રેટ હોય છે. તેનાથી બ્લડ સુગર વધી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ શેકેલા ચણા મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ.

5/5




Read More