PHOTOS

18 મહિના બાદ શુક્ર અને સૂર્ય બનાવશે શુક્રાદિત્ય રાજયોગ, આ જાતકો માટે શુભ સમય, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

Venus And Sun Ki Yuti: વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર અને સૂર્ય શુક્રાદિત્ય રાજયોગ બનાવી રહ્યાં છે, જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. આ જાતકોને રાજયોગને લીધે દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. 

Advertisement
1/5
શુક્ર અને સૂર્યની યુતિ
 શુક્ર અને સૂર્યની યુતિ

વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરી શુભ યોગ અને રાજયોગનું નિર્માણ કરે છે, જેનો પ્રભાવ માનવ જીવન પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે 13 એપ્રિલે ગ્રહોના રાજા સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યાં છે. ત્યારબાદ 24 એપ્રિલે શુક્ર ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે. તેવામાં આ બંને ગ્રહ શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ કરી રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ લોકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ ભાગ્યશાળી રાશિઓ કઈ છે...

2/5
તુલા રાશિ
 તુલા રાશિ

તમારા લોકો માટે શુક્રાદિત્ય રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિના સપ્તમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયમાં પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. સાથે તમે પરિવાર સાથે સારો સમય પસાર કરશો અને તમારા જીવનમાં પ્રગતિના દ્વાર ખુલશે. આ સમયે કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. સાથે ભાગીદારીમાં વેપારથી તમને લાભ થશે અને તમારા અટવાયેલા પૈસા પરત મળી શકે છે. આ સમયમાં તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે.   

Banner Image
3/5
સિંહ રાશિ
 સિંહ રાશિ

શુક્રાદિત્ય રાજયોગ બનવાથી સિંહ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી નવમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળશે. તમારા મનમાં સકારાત્મક વિચારો વધશે. આ સમયે તમારા પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિનો યોગ બની રહ્યો છે અને તમારી આર્થિક સ્થિતિ સારી થશે. આ સમયે તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. સાથે આ સમયે તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો, જે શુભ રહેશે. આ સમયમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. 

4/5
મેષ રાશિ
મેષ રાશિ

તમારા લોકો માટે શુક્રાદિત્ય રાજયોગ લાભદાયક રહી શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથિ લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. આ દરમિયાન તમને કરિયર અને કારોબારમાં સફળતા મળી શકે છે. તમારી આવકમાં વધારો થશે અને નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે. આ દરમિયાન પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. સાથે આ સમયમાં તમારી ઈચ્છાઓ પૂરી થશે.   

5/5
ડિસ્ક્લેમર
 ડિસ્ક્લેમર

આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.





Read More