trong>સૂર્ય ગ્રહોના રાજા છે અને બુધ રાજકુમાર. જ્યારે એક રાશિમાં રાજા અને રાજકુમાર સાથે હોય છે ત્યારે 12 રાશિના લોકોના જીવનમાં પણ ફેરફાર...
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહે 27 ફેબ્રુઆરીએ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે અને હવે 14 માર્ચે સૂર્ય પણ મીન રાશિમાં ગોચર કરશે. મીન રાશિમાં 14 માર્ચથી બુધાદિત્ય રાજયોગ બનશે જે 3 રાશિના લોકો માટે લાભકારી છે.
આ રાશિના લોકોના જીવનમાં સુખ-સુવિધાઓ વધશે. કાર્યક્ષેત્રમાં ખૂબ લાભ થશે. વેપારમાં ધન લાભ થશે. બચત કરવામાં સફળતા મળશે. લવ લાઈફ સારી રહેશે.
સિંહ રાશિ માટે પણ બુધાદિત્ય રાજયોગ લાભકારી સિદ્ધ થશે. રોકાણ કરવાનું વિચારતા હોય તો 14 માર્ચ પછીનો સમય શુભ છે. આ સમયમાં રોકાણ કરવું લાભકારી સિદ્ધ થશે. પરિવારનો સાથ મળશે. પૈતૃક સંપત્તિથી અણધાર્યો મોટો ધન લાભ થઈ શકે છે.
તુલા રાશિના લોકોને કાર્યોમાં મહેનત કર્યા પછી સફળતા મળશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ સારા થશે. વેપારમાં લાભ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.