ોતિષ શાસ્ત્ર અનુસાર 28 માર્ચે મીન રાશિમાં બુધ, શુક્ર, સૂર્ય, રાહુ અને ચંદ્રમાની યુતિ બની રહી છે, જેનાથી પંચગ્રહી યોગનું નિર્માણ થશે. આ ...
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવગ્રહના રાશિ પરિવર્તન કરવાનો એક ચોક્કસ સમય હોય છે. જેના કારણે દરેક ગ્રહની કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ થતી રહે છે. તેવામાં આ સમયે મીન રાશિમાં ગ્રહોનો જમાવડો છે. મહત્વનું છે કે મીન રાશિમાં રાહુ સિવાય શુક્ર અને બુધ બિરાજમાન છે. તો હોળીા દિવસે ગ્રહોના રાજા સૂર્ય પણ મીન રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે 28 માર્ચે ચંદ્રમા મીન રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી મીન રાશિમાં બુધ, શુક્ર, સૂર્ય, રાહુ અને ચંદ્રમાની યુતિ થઈ રહી છે, જેનાથી પંચગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગને કારણે કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે.
કુંભ રાશિના જાતકો માટે પંચગ્રહી યોગ ભાગ્યનો દરવાજો ખોલી શકે છે. આ રાશિના જાતકો પર સૂર્ય, શુક્ર, બુધ, રાહુની સાથે ચંદ્રમાની કૃપા થશે, જેનાથી તમને દરેક કામમાં અપાર સફળતા મળી શકે છે. પંચગ્રહી યોગ બીજા ભાવમાં બનવાનો છે. આ સાથે શનિ પણ લગ્ન ભાવમાં બિરાજમાન છે. તેવામાં આ રાશિના જાતકોના અટવાયેલા કામ ફરી શરૂ થઈ શકે છે. જીવનમાં સુખ-શાંતિ રહેશે. તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. સમાજમાં માન-સન્માનની કમી પૂરી થઈ શકે છે. કરિયરના ક્ષેત્રની વાત કરીએ તો તમે પદ-પ્રતિષ્ઠા મેળવી શકો છો. બિઝનેતમાં નેતૃત્વ ક્ષમતામાં વધારો થઈ શકે છે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવી શકે છે. દાંપત્ય જીવન અને લવ લાઇફની વાત કરીએ તો જીવનસાથી સાથે સારો તાલમેલ સ્થાપિત થશે. તમારા સંબંધમાં ખુશીઓ રહેશે.
આ રાશિના જાતકો માટે પંચગ્રહી યોગ લાભકારી સિદ્ધ થશે. આ રાશિમાં આ યોગ ત્રીજા ભાવમાં બની રહ્યો છે. આ ભાવમાં બનવાથી જાતકોને વધુ લાભ મળી શકે છે. તમારી અંદર તર્ક-વિતર્ક કરવાની શક્તિ વધશે, જેનાથી તમે ઘણા ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. કરિયરના ક્ષેત્રમાં પણ સારો લાભ થવાનો છે. લાંબા અંતરની યાત્રા કરી શકો છો. પરંતુ તમને તેનાથી ખૂબ લાભ મળશે. નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં છો તો આ સમય લાભકારી સાબિત થઈ શકે છે. તમને મોટો નફો થઈ શકે છે. તમે એક સફળ બિઝનેસમેન બની શકો છો. જીવનસાથી સાથે સારા સંબંધ સ્થાપિત થશે, અને સંબંધોમાં મિઠાસ રહેશે.
આ રાશિના જાતકો માટે પંચગ્રહી યોગ કોઈ વરદાન સમાન છે. આ રાશિના જાતકોને અપાર ધન સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે. આ રાશિના અગિયારમાં ભાવમાં આ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં આ જાતકોની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. બેંકમાંથી લોન લેવાનું વિચારી રહ્યાં છો તો તેમાં સફળતા મળી શકે છે. નોકરીની નવી તક મળવાની સંભાવના બની રહી છે. આ સાથે તમે તમારા સ્પર્ધકને ટક્કર આપતા જોવા મળશે. વેપારી કોઈ નવી ડીલ કરી શકે છે. જેનાથી લાભ થશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો ભાગ્યનો સાથ મળી શકે છે. કમાણીના ઘણા માર્ગ ખુલશે. સારી આવક થવાની સાથે. જીવનસાથી સાથે તાલમેલ સારો રહેશે. સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.