ૂનના વચ્ચે મધરાતે 1 વાગે સૂર્ય અને શનિ એક બીજાથી 80 ડિગ્રી પર હતા જેનાથી ષોડશપંચાક યોગ બન્યો છે. તેને ઈંગ્લિશમાં બાઈનોવિલ સંયોગ યોગ(Bin...
વૈદિક જ્યોતિષ મુજબ દરેક ગ્રહ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે જેનો પ્રભાવ દરેક રાશિના જાતકોના જીવન પર અલગ અલગ જોવા મળતો હોય છે. હાલ શનિ મીન રાશિમાં છે અને ગ્રહોના રાજા સૂર્ય વૃષભ રાશિમાં છે. પિતા પુત્ર હોવા છતાં બંને ગ્રહો એકબીજા જોડે શત્રુતાનો ભાવ ધરાવે છે. શનિ મીન રાશિમાં રહીને કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કે પછી દ્રષ્ટિ પાડતા રહેશે. આવામાં શનિ સૂર્ય સાથે દુર્લભ ષોડશપંચાક યોગ બનાવશે. ત્યારે કેટલીક રાશિઓને બંપર લાભ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
વૃષભ રાશિવાળા માટે ષોડશપંચાક યોગ ખુબ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના લાભ ભાવમાં શનિ અન લગ્ન ભાવમાં સૂર્ય બિરાજમાન છે. આવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે. તમારા જીવનમાં આવેલી પરેશાનીઓ દૂર થઈ શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. શારીરિક સમસ્યાઓ પણ ધીરે ધીરે ઘટી શકે છે. ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે. આવામાં પદોન્નતિની સાથે કોઈ મોટી જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે. લાંબા સમયથી અટકેલા પૈસા કે પછી કોઈને આપેલા પૈસા પાછા મળી શકે છે. સંતાન તરફથી ચાલી રહેલી પરેશાનીઓ હવે સમાપ્ત થઈ શકે છે. વેપારમાં પણ લાભના યોગ છે.
તુલા રાશિના જાતકોને શનિ સૂર્યનો આ ષોડશપંચાક યોગ લકી સાબિત થઈ શકે છે. આ રાશિમાં સૂર્ય નવમ અને શનિ છઠ્ઠા ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકોની આવકમાં ઝડપથી વધારો થઈ શકે છે. તમારા વિરોધીઓને પછાડવામાં સફળ થઈ શકો છો. સૂર્યદેવની કૃપાથી ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે. આવામાં તમે અનેક ક્ષેત્રોમાં સફળ થઈ શકો છો. પિતાનો પૂરેપૂરો સહયોગ મળી શકે છે. જેનાથી તમે તમારા લક્ષ્યોને મેળવવામાં સફળ થઈ શકો છો. કાર્યક્ષેત્રની વાત કરીએ તો તમારો દબદબો રહેશે. મહેનત રંગ લાવી શકે છે. કાર્ય સંબંધિત લાંબો પ્રવાસ કરી શકો છો.
કર્ક રાશિના જાતકો માટે શનિ સૂર્યનો આ ષોડશપંચાક યોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના ભાગ્ય ભાવમાં શનિ અને લાભના ભાવમાં સૂર્ય બિરાજમાન છે. આવામાં આ રાશિના જાતકોના લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. શનિના કારણે ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. જીવનમાં સુખ શાંતિ આવી શકે છે. વિદેશ મુસાફરીનું સપનું પૂરું થઈ શકે છે. વિદેશ સંબંધિત કામોમાં તમે સફળ થઈ શકો છો. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થઈ શકે છે. વેપારના ક્ષેત્રમાં ઘણો લાભ મળી શકે છે. કામોમાં લાંબા સમયથી ચાલી રહેલી અડચણો દૂર થઈ શકે છે. કોર્ટ કચેરીના કેસોમાં અપાર સફળતા મળી શકે છે. અચાનક ધનલાભના યોગ છે. આવકમાં પણ ઘણો લાભ થઈ શકે છે. સુખ સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)