Homemade Detox Powder: જીરું, અજમા અને વરિયાળીનો ઉપયોગ અલગ અલગ તો તમે પણ કર્યો હશે પરંતુ આ 3 વસ્તુને સમાન માત્રામાં લઈ તેનો પાવડર બનાવી લેવો. ત્યારબાદ રોજ રાત્રે હુંફાળા પાણી સાથે 1 ચમચી આ પાવડરની લઈ લેવી. આ પાવડર નિયમિત લેવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ તો દવા વિના જ મટવા લાગે છે.
જીરું, વરિયાળી અને અજમાનો પાવડર પાચન તંત્ર સંબંધિત સમસ્યાઓને ઠીક કરે છે. આ પાવડર રોજ રાત્રે પાણી સાથે લેશો તો પાચનની સમસ્યાઓ જેમકે ગેસ, કબજિયાત, એસિડિટી મટશે. આ પાવડરથી પાચન ક્રિયા દુરુસ્ત રહે છે.
જે લોકોનું પેટ બહાર નીકળવા લાગ્યું હોય તેમણે પણ આ પાવડર રાત્રે લેવો જોઈએ. આ પાવડર હુંફાળા પાણી સાથે લેવાથી પાચન સુધરે છે અને બેલી ફેટ ઓછું કરવામાં મદદ મળે છે.
જીરું, અજમા અને વરિયાળીનું પાણી પીવાથી સ્કિનને પણ લાભ થાય છે. આ પાવડર પીવાથી બોડી ડિટોક્સ થાય છે. જેના કારણે સ્કિન પર પણ તેની અસર થાય છે. તેનાથી સ્કિન પર નિખાર વધે છે.
જો મેટાબોલિઝમ સારું હોય તો બીમારીઓથી બચી જવાય છે. આ પાવડર રોજ રાત્રે લેવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.