PHOTOS

નવી જંત્રીના દરમાં કોઈ ફેરફાર કે ઘટાડો નહીં થાય! મધ્યમ વર્ગના લોકોનું ઘર ખરીદવાનું સપનું તૂટી જશે!

e Hike In Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જંત્રીને લઈને માથાકૂટ ચાલી રહી છે. ત્યારે ગઈકાલે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી ક...

Advertisement
1/6
રિઅલ એસ્ટેટ સેક્ટરને પણ ભારે ફટકો પડશે
રિઅલ એસ્ટેટ સેક્ટરને પણ ભારે ફટકો પડશે

હવે રાજ્ય સરકાર કોઈપણ ઘટાડા અને રાહત વિના નવી જંત્રીના દરના મુસદ્દા મુજબના દરમાં કોઈ ફેરફાર કે ઘટાડો નહીં કરે. આ અમે નથી કહી રહ્યા પણ સૂત્રો પાસેથી મળેલી માહિતી છે. પરંતુ એક સમય માટે વિચારી લો કે સરકાર જંત્રીમાં કોઈ ફેરફાર ના કરે તો લોકોને શું અસર પડશે? તો અમે તમને જણાવી દઈએ કે નવી જંત્રીના અમલથી જમીન-મિલકતો મોંઘી થઈ જશે. અમદાવાદ જેવા વિસ્તારમાં સામાન્ય-મધ્યમ વર્ગના પોતાના ઘરનું ઘર ખરીદવાનાં સપના તૂટી જશે. રિઅલ એસ્ટેટ સેક્ટરને પણ ભારે ફટકો પડશે. 

2/6
બિલ્ડર લોબી સહિતના સંબંધિતો તરફથી ભારે વિરોધ!
બિલ્ડર લોબી સહિતના સંબંધિતો તરફથી ભારે વિરોધ!

ગુજરાત સરકારે 20 નવેમ્બર-સામના રોજ નવી જંત્રીનો મુસદ્દો જાહેર કર્યો હતો. જેમાં સરકારે લોકો, સંસ્થાઓ પાસેથી 20 ડિસેમ્બર-204 સુધીમાં વાંધા-સૂચનો મંગાવ્યા હતા, પરંતુ જંત્રીના આ મુસદ્દો મુજબ સરકારે જમીન-મકાની મિલકતોના જંત્રીના દરમાં ભારેખમ ભાવ વધારી ઝીકયો હોવાથી બિલ્ડર લોબી સહિતના સંબંધિતો તરફથી ભારે વિરોધ થતા સરકારે આ વાંધાસૂચનો મેળવવાની તારીખમાં એક મહિનો એટલે કે, 30 જાન્યુઆરી-2025 સુધીનો વધારો કર્યો હતી. આ ઉપરાંત રાજ્ય સરકારે જંત્રી સુધારણા સમિતિની રચના કરી હતી. આ સમિતિ મહાનગરપાલિકા, નગરપાલિકા, આર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ગ્રામ્ય કથાએ કાર્યરત કરાઈ હતી. 

Banner Image
3/6
નવી જંત્રીના નવા દરોમાં કોઈપણ જાતના ફેરફાર કે ઘટાડાનો સ્પષ્ટ ઈનકાર
નવી જંત્રીના નવા દરોમાં કોઈપણ જાતના ફેરફાર કે ઘટાડાનો સ્પષ્ટ ઈનકાર

આંચકાજનક બાબત એ જાણવા મળી છે કે, મુખ્યમંત્રીએ આ બેઠકમાં નવી જંત્રીના અમલ માટે પોતાની માલમતા જાહેર કરીને નવી જંત્રીના નવા દરોમાં કોઈપણ જાતના ફેરફાર કે ઘટાડાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. તેમનું કહેવું હતું કે રાજ્ય સરકાર દ્વારા જયારે પણ નવી જંત્રીનો અમલ કરાય છે ત્યારે શરૂઆતમાં લોકો અને તેમના વિવિધ વર્ગોમાંથી તેનો સખત વિરોષ જરૂર થાય પણ સમય જતા તે શાંત પડી જાય છે. એટલે આ નવી જંત્રીનો અમલની જાહેરાત આગામી માર્ચ-25ના રોજ કરીને સરકાર 18 એપ્રિલ-2005થી તેનો અમલ કરાય તે નક્કી મનાય છે. 

4/6
મધ્યમવર્ગના લોકો માટે મુશ્કેલ જ નહીં પરંતુ અતિ મુશ્કેલ બની જશે
 મધ્યમવર્ગના લોકો માટે મુશ્કેલ જ નહીં પરંતુ અતિ મુશ્કેલ બની જશે

નોંધનીય છે કે, રાજ્યમાં નક્કી કરાયેલા શહેરી કક્ષાએ 23,445 અને ગ્રામ્ય કથાએ 17,151 મળીને કુલ નવા વેલ્યુઝોન મુજબ જમીન-મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટેની કમરતોડ નવી જંત્રીના દરની અમલવારી 1લી એડીયા-2125થી કરાશે. પરંતુ હવે સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે રાજય સરકાર દ્વારા 20 નવેમ્બર-2004ના રોજ જાહેર કરાયેલા મુસદ્દારૂપ નવી જંત્રી જે વાંધા-સૂચનો મેળવાયા બાદ પણ આ મુસદારૂપ જંગીના ભાવ-દરમાં કોઈપણ જાતનો ફેરાફાર અર્થાત વધારો કે ઘટાડો નહીં કરે. પરિણામે ગુજરાતમાં જમીનો અને મિલકતોની બજાર કિંમતોમાં ભારેખમ વધારો નોંધાશે.  જેની સીધી અસર રિઅલ એસ્ટેટને થશે. ઘરનું ઘર ખરીદવાનું સપનું જોતા લોકો કે મધ્યમવર્ગના લોકો માટે મુશ્કેલ જ નહીં પરંતુ અતિ મુશ્કેલ બની જશે.

5/6
2024-25ની સરખામણીમાં રૂ. 3307 કરોડ વધુની સ્ટેમ્પ ડ્યૂટી
2024-25ની સરખામણીમાં રૂ. 3307 કરોડ વધુની સ્ટેમ્પ ડ્યૂટી

ભારેખમ નહી જંત્રીના અમલને કારણે સરકારની સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફીમાં પણ ધરખમ વધારો થશે. 2024-25ના વર્ષમાં સરકારની સ્ટેમ્પ ડયુટી નોધણી ફીની આવક રૂ. 16,493 કરોડની હતી. જયારે 2025-26માં સરકારને સ્ટેમ્ય ડ્યૂટી/નોંધણી ફીના આવક રૂ. 19, 800 કરોડ થશે એવો અંદાજ મુકાયો છે. જે 2024-25ની સરખામણીમાં રૂ. 3307 કરોડ વધુ હશે, પરંતુ (1લી એપ્રિલથી નવી જંત્રીના અમલને કારણે સરકારના સ્ટેમ્પ ડ્યૂટી નોંધણીની આવકમાં પણ ભારે વધારો થવાની શક્યતા તથા લોકો ઉપર એટલો જ વધારાના ટેક્સનો ભોજો પડે એવી શક્યતા નકારી શકાતી નથી. 

6/6
જંત્રી દરના વધારાને લઈને ઢગલાબંધ વાંધા અરજીઓ થઈ
 જંત્રી દરના વધારાને લઈને ઢગલાબંધ વાંધા અરજીઓ થઈ

આ બે મહિનામાં રાજ્ય સરકારને કુલ 11,046 જેટલા વાંધા સૂચનો મળ્યા છે. જેમાંથી 5400 જેટલા શહેરી વિસ્તારમાંથી જ્યારે 4900 થી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા છે. , શરૂઆતમાં પ્રસિધ્ધ કરેલ જંગી બાબતે વાંધા સૂચનો મંગાવવા માટે 20/12/2024 સુધીની અવધિ રાખવામાં આવી હતી. જે જાહેર હિતને ધ્યાને લઈને તા. 20/01/2025 સુધી લંબાવવામાં આવી હતી. વધુમાં ઓનલાઈનની સાથે ઓફલાઈન પણ વાંધા - સૂચનો સ્વીકારવાની વ્યવસ્થા કરાઇ હતી.





Read More