for Eyesight: આજકાલ ઘણા લોકો આંખો સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વધતી ઉંમરની સાથે-સાથે બાળકો હોય કે વૃદ્ધો ઘણા લોકો આં...
ખરાબ ખાવાની આદતો અને સતત ફોન અને લેપટોપના ઉપયોગના કારણે આંખોની રોશની પર અસર કરી રહ્યી છે. ખરાબ ખાવાની આદતોને કારણે પોષક તત્વો મળી શકતા નથી. આના કારણે આંખો નબળી પડી જાય છે અને જો લાંબા સમય સુધી લેપટોપ અને સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ, તો આંખો નબળી પડવાનું જોખમ રહેલું છે. આજે અમે તમને એવા ખોરાક વિશે જણાવીશું જે આપણી આંખો માટે સારા હોઈ શકે છે.
ગાજરમાં બીટા-કેરોટીન અને વિટામિન A જેવા તત્વો હોય છે જે આપણી આંખોના રેટિનાને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે અને આંખોની રોશની સુધારવામાં પણ મદદરૂપ થઈ શકે છે. ગાજરને સલાડ તરીકે ખાવા જોઈએ.
પાલકમાં લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. પાલક આંખો માટે પણ ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. તમારે પાલકનું સેવન કરવું જ જોઈએ. તે તમારી આંખોની રોશની સુધારી શકે છે.
નટ્સ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ચાલો તમને જણાવી દઈએ કે, નટ્સ ઓમેગા-3 ફેટી એસિડ અને વિટામિન Eનો ખૂબ જ સારો સ્ત્રોત છે. આ તમારી આંખોને ફાયદો કરે છે અને આંખોની રોશની સુધારે છે.
પ્રિય વાચક, આ સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. અમે આ લખવામાં સામાન્ય માહિતીની મદદ લીધી છે. Z 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.