PHOTOS

અદાણીની આ કંપનીને યોગી સરકાર તરફથી મળ્યો મોટો ઓર્ડર, બે અબજ યુએસ ડોલરનું કરશે રોકાણ

Big Order: ઉત્તર પ્રદેશની યોગી સરકાર તરફથી અદાણીની આ કંપનીને મોટો ઓર્ડર આપવામાં આવ્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે તેણે ઉત્તર પ્રદેશને અત્યાધુનિક પાવર પ્લાન્ટમાંથી 1,500 મેગાવોટ વીજળી સપ્લાય કરવાની બિડ જીતી લીધી છે.
 

Advertisement
1/6

Big Order: ગૌતમ અદાણી ગ્રુપની કંપનીને ઉત્તર પ્રદેશની યોગી સરકાર તરફથી એક મોટો ઓર્ડર મળ્યો છે. અદાણી પાવરે જણાવ્યું હતું કે તેણે ઉત્તર પ્રદેશને અત્યાધુનિક પાવર પ્લાન્ટમાંથી 1,500 મેગાવોટ વીજળી સપ્લાય કરવાની બિડ જીતી લીધી છે. આ માટે બે અબજ યુએસ ડોલરનું રોકાણ કરવામાં આવશે.   

2/6

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ કેબિનેટે આ મહિનાની શરૂઆતમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. કંપનીએ જણાવ્યું હતું કે તેને શનિવારે અધિકૃતતા પત્ર (LOA) મળ્યો છે જે હેઠળ તે ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ (UPPCL) સાથે લાંબા ગાળાના વીજ પુરવઠા કરાર પર હસ્તાક્ષર કરશે.  

Banner Image
3/6

કોન્ટ્રાક્ટ હેઠળ, કંપની ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓન એન્ડ ઓપરેટ (DBFOO) મોડેલ હેઠળ રાજ્યમાં કુલ 1500 મેગાવોટની ક્ષમતા ધરાવતો એક અત્યાધુનિક પ્લાન્ટ સ્થાપશે અને તેમાંથી પ્રતિ યુનિટ 5,383 રૂપિયાના અત્યંત સ્પર્ધાત્મક દરે વીજળી સપ્લાય કરશે. અદાણી પાવરના સીઈઓ એસ બી ખ્યાલિયાએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશ રાજ્યને 1,500 મેગાવોટ વીજળી પૂરી પાડવા માટે સ્પર્ધાત્મક બિડ જીતીને અમને ખૂબ આનંદ થાય છે અને રાજ્યની ઝડપથી વધતી વીજળીની માંગને પહોંચી વળવામાં અગ્રણી ભૂમિકા ભજવવાનો અમને લહાવો મળ્યો છે.   

4/6

તેમણે વધુમાં ઉમેર્યું કે અમે ઉત્તર પ્રદેશમાં એક આધુનિક અને ઓછા ઉત્સર્જનવાળા અત્યાધુનિક પ્લાન્ટની સ્થાપના કરવાની યોજના બનાવી રહ્યા છીએ અને નાણાકીય વર્ષ 2029-30 સુધીમાં વિશ્વસનીય અને ઉચ્ચ ગુણવત્તાવાળી વીજળી સપ્લાય કરવાનું શરૂ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ.  

5/6

ખ્યાલીએ જણાવ્યું હતું કે અદાણી પાવર પ્લાન્ટ અને તેની સાથે સંકળાયેલ માળખાગત સુવિધાઓ સ્થાપિત કરવા માટે 2 અબજ યુએસ ડોલરનું રોકાણ કરશે. નિવેદન અનુસાર, આ પ્રોજેક્ટ બાંધકામના તબક્કા દરમિયાન 8,000-9,000 લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરશે અને એકવાર તે કાર્યરત થઈ જશે પછી 2,000 લોકોને રોજગારી આપશે તેવી અપેક્ષા છે.

6/6

(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)  





Read More