બોલીવુડ સ્ટાર્સ મોટાભાગના પોતાનો મનપસંદ રોલ નહી મળતાં ફિલ્મ રિજેક્ટ કરી દે છે. ઘણીવાર એવું પણ થાય છે કે એક્ટરને લાગે છે કે કેરેક્ટર તેમની પર્સાલિટીથી મેચ કરતી નથી. ઘણીવાર કો-સ્ટારને પસંદ કરનાર પણ ફિલ્મથી દૂરી બનાવવાનું કારણ બને છે.
રાજકુમાર હિરાનીએ આમિરને ફિલ્મ 'સંજૂ'માં સુનીલ દત્તનો રોલ ઓફર કર્યો હતો પરંતુ એક્ટર રણબીરના પિતા બનવા માંગતા ન હતા. આમિર ખાને પોતે સંજય દત્તનો રોલ પ્લે કરવા માંગતા હતા. જોકે વિધુ વિનોદ ચોપડા અને સંજય દત્ત, બંનેને એમ લાગી રહ્યું છે કે રણબીર ટાઇટલ રોલ માટે બેસ્ટ ચોઇસ છે, એવામાં આમિરને ફિલ્મ છોડવી પડી.
ફિલ્મમાં બોબી દેઓલવાળો રોલ પહેલાં સૈફને ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ તે લીડ રોલ માટે મક્કમ હતા.
ફિલ્મ 'ગલી બોય'માં મેન રોલ કરવા માંગતા હતા રણબીર કપૂર, જ્યારે તેમને બીજો રોલ ઓફર કરવામાં આવ્યો હતો.
રણબીર કપૂરને રણબીર સિંહવાળો રોલ પ્લે કરવો હતો જ્યારે કરીના કપૂરને પ્રિયંકા ચોપડા. પછી ખબર પડી કે રણબીર કદાચ ફરહાન અખ્તરવાળું પાત્ર ભજવવા માંગતા હતા પરંતુ એવું થઇ શક્યું નહી.
'દિલ ચાહતા હૈ'માં ઋત્વિક રોશનને આમિર ખાનવાળો રોલ ઓફર થયો હતો. જોકે ઋત્વિક રોશન બીજું પાત્ર ભજવવા માંગતો હતો કારણ કે ફિલ્મમાં આમિર અથવા આકાશનું ખૂબ ક્રૂર લાગતું હતું. ડાયરેક્ટર ફરહાન અખ્તરે તેમને બીજો રોલ ન આપ્યો અને પછી તે ફિલ્મથી અલગ થઇ ગયા.