ધનવાન બનવાનું સપનું બધા લોકોનું હોય છે, પરંતુ ખુબ ઓછા લોકો આ સપનું પૂરુ કરી શકે છે. તેનું કારણ છે પૈસાનું મેનેજમેન્ટ યોગ્ય રીતે ન કરવું. જ્યારે આપણે પોતાના ખર્ચ અને બચત વચ્ચે તાલમેલ ન બેસાડી શકીએ તો ફાલતું ખર્ચ વધી જાય છે અને બચત થઈ શકતી નથી. બચત ન થવાને કારણે રોકાણ પણ થઈ શકતું નથી અને તેવામાં ભવિષ્ય માટે પૈસા બચાવવા મુશ્કેલ થઈ જાય છે. દિગ્ગજ ઈન્વેસ્ટર વોરેન બફેનું કહેવું છે કે જો લોકોમાં પૈસાને મેનેજ કરવાની સમજ ઓછી હશે તો સારીકમાણી બાદ પણ તે પૈસાની અછતનો સામનો કરતા રહેશે. તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો New Year 2025 જાણી લો તે મંત્ર, જે તમારા જીવનમાં પૈસાના સંકટને દૂર કરી શકે છે અને તમારા ધનવાન બનવાના સપનાને હકીકતમાં પરિવર્તિત કરી શકે છે.
વિશ્વના સૌથી અમીર લોકોમાંથી એક વોરેન બફે કહે છે કે જો તમારે સારા રોકાણકાર બનવું હોય તો સૌથી પહેલા તમારે બચત કરવાની આદત કેળવવી જોઈએ અને આ રકમનું રોકાણ કરવું જોઈએ કારણ કે માત્ર રોકાણ જ તમારી સંપત્તિ વધારવામાં મદદ કરે છે. જો તમારી આવક 10 હજાર રૂપિયા છે તો તમારે 2 હજાર રૂપિયાની બચત કરવી પડશે. આ રીતે, તમારે તમારી કમાણીનો ઓછામાં ઓછો 20 ટકા બચાવવો જોઈએ અને કોઈપણ સંજોગોમાં તેનું રોકાણ કરવું જોઈએ.
પોતાના રોકાણને કોઈ એક જગ્યાએ લગાવવાની જગ્યાએ પોર્ટફોલિયોનું ડાયવર્સિફિકેશન કરવું જોઈએ. તેનો અર્થ એ છે કે, તમારા નાણાકીય પોર્ટફોલિયોમાં ટૂંકા ગાળાના, મધ્યમ ગાળાના અને લાંબા ગાળાના લક્ષ્યો અનુસાર વિવિધ યોજનાઓનો સમાવેશ થવો જોઈએ. આ ઉપરાંત, મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે, વ્યક્તિએ રોકાણના સંદર્ભમાં થોડું જોખમ લેવું પડે છે, પરંતુ કેટલીકવાર તમે સહન કરી શકો તેટલું જ જોખમ લો.
બજારમાં પૈસા લગાવો છો તો બીજાને જોઈને ક્યાંય પૈસા ન લગાવો. જો તમને ખુદને બજારની જાણકારી નથી તો કોઈ નિષ્ણાંતની સલાહથી રોકાણ કરો. બજારમાં અનિશ્ચિતતાઓ હોય છે. તે તમને જેટલી ઝડપથી ફાયદો કરાવી શકે એટલી ઝડપથી નુકસાન પણ કરાવી શકે છે. આવા માહોલમાં, એક શિસ્તબદ્ધ, લાંબા ગાળાની વ્યૂહરચના ઘણી મહત્વની છે. તેથી, લાંબા ગાળાના રોકાણને ધ્યાનમાં રાખીને રોકાણ કરવું થોડું ઓછું જોખમી હોઈ શકે છે અને તમને વધુ લાભ લાવી શકે છે.
જલ્દી ધનવાના ચક્કરમાં કોઈની વાતોમાં ન આવો અને રાતોરાત ડબલ કરવાની લાલચ આપનારી કંપનીઓમાં રોકાણ ન કરો. વોરેન બફેનું કહેવું છે કે પૈસા હંમેશા વિશ્વાસપાત્ર સંસ્થામાં રોકાણ કરવા જોઈએ, ભલે તેમાં થોડો ઓછો ફાયદો મળે. તેનાથી તમે તમારી કમાણી ગુમાવવાના જોખમથી બચી જશો.
રોકાણ ઉપરાંત, તમારે તમારા ખર્ચાઓનું સંચાલન કરવા માટે કેટલીક આદતોને નિયંત્રિત કરવી જોઈએ જેમ કે - આજકાલ નવી પેઢીના યુવાનો તેમની દરેક નાની-મોટી જરૂરિયાત માટે લોન લે છે. ક્રેડિટ કાર્ડ દ્વારા જરૂરિયાતો પૂરી કરો. ઘણી વખત, લોકોનો સંપૂર્ણ પગાર લોનની EMI ચૂકવવામાં ખર્ચવામાં આવે છે. તેથી, જરૂરિયાતો અને શોખ વચ્ચેનો તફાવત સમજો અને તમારા ખર્ચને મર્યાદિત કરો. વધુ પડતો ખર્ચ તમને દેવામાં ડૂબી શકે છે.
હેસિયત ન હોવા પર પણ બીજાને જોઈને મોંઘી બ્રાન્ડના કપડા પહેરવા તમારો ખર્ચ વધારશે. જો તમારૂ કામ સસ્તી બ્રાન્ડથી પૂરુ થઈ જાય તો લક્ઝરી બ્રાન્ડ્સમાં વધુ પૈસા ખર્ચ કરવાથી બચો. આ સિવાય ખાવા-પીવાની આદતો પર પણ નિયંત્રણ રાખવું જોઈએ. બજારનું ભોજન તમારૂ ખિસ્સું ખાલી કરે છે. તેવામાં ગમે ત્યારે બહાર જમવાની આદતને કંટ્રોલ કરો.