ુવંશી હત્યાકાંડમાં ઝડપથી કાર્યવાહી કરતા પત્ની સોનમ સહિત ચાલ લોકોને પકડી લીધા છે. હનીમૂન દરમિયાન થયેલી આ હત્યામાં પત્નીની ભૂમિકા શંકાસ્પ...
મેઘાલય પોલીસે ઈન્દોરના ચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડમાં સાત દિવસની અંદર જ એક મોટી સફળતા મેળવી છે. પોલીસે આ મામલે રાજાની પત્ની સોનમ સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ મેઘાલયમાં હનીમૂન દરમિયાન ઈન્દોરના એક વ્યક્તિની હત્યામાં કથિત રીતે પત્ની પણ સામેલ હતી, તેણે આ હત્યા માટે સોપારી આપી હતી.
બીજી બાજુ મેઘાલયના સીએમ કોનરાડ સંગમાએ પણ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી. તેમણે કહ્યું કે રાજા હત્યાકાંડમાં 7 દિવસની અંદર મેઘાલય પોલીસને મોટી સફળતા મળી છે. મધ્ય પ્રદેશના 3 હુમલાખોરોની ધરપકડ થઈ છે. એક મહિલાએ આત્મસમર્પણ કર્યું છે અને અન્ય એક હુમલાખોરને પકડવા માટે અભિયાન ચાલુ છે.
અત્રે જણાવવાનું કે રાજા રઘુવંશી અને પત્ની સોનમ હનીમૂન માટે મેઘાલય આવ્યા હતા. અહીં રાજાની હત્યા થઈ ગઈ અને સોનમ ગૂમ થઈ ગઈ હતી. આ મામલો સમગ્ર દેશમાં ગરમાયો હતો. સોનમના પરિજનોએ આ મામલે મોટા કાવતરાની આશંકા જતાવી હતી. પરંતુ હવે સોનમ સામે આવ્યા બાદ આ સમગ્ર મામલે સચ્ચાઈ સામે આવશે. આ અગાઉ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહનલાલ યાદવે પણ ગૃહમંત્રી અમિત શાહને આ મુદ્દે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી.
સોનમ અને રાજાના લગ્ન 11 મેના રોજ ઈન્દોરમાં થયા હતા. લગ્નના માત્ર 9 દિવસ બાદ 20 મેના રોજ આ કપલ હનીમૂન માટે પહેલા અસમ ગયું અને ત્યારબાદ મેઘાલય ગયું. 23મી મેના રોજ બંને શિલોંગના પ્રસિદ્ધ નોંગ્રિયાટ ગામમાં ડબલ ડેકલ લિવિંગ રૂટ બ્રિજ વખતે છેલ્લીવાર જોવા મળ્યા હતા. ત્યારબાદ ગૂમ હતા.
ત્યારબાદ 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ મળ્યો જ્યારે પત્નીની શોધ ચાલુ હતી. આ મામલે એક નવો ખુલાસો એ થયો હતો કે એક ગાઈડ અલ્બર્ટ પીડીએ કહ્યું હતું કે તેમણે 23 મેના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ એક કપલને 3 પુરુષો સાથે નોંગ્રિયાટથી માવલખિયાત સુધી 3000 થી વધુ સીડીઓ ચડતા જોયા હતા.
તેમણે કહ્યું કે તેમણે આ કપલને ઓળખી લીધુ કારણ કે તેમણે તાજેતરમાં તેમને નોંગ્રિયાટ સુધી ઉતરવા માટે પોતાની સેવાઓ આપવાની રજૂઆત કરી હતી પરંતુ તેમણે વિનમ્રતાપૂર્વક ના પાડી દીધી હતી અને એક અન્ય ગાઈડને કામે રાખ્યો હતો. ચારેય પુરુષો આગળ ચાલતા હતા જ્યારે મહિલા પાછળ હતી. ચારે પુરુષો હિન્દીમાં વાત કરતા હતા. પરંતુ હું સમજી શક્યો નહીં કારણ કે હું ફક્ત ખાસી અને અંગ્રેજી જ જાણું છું.