વૈદિક જ્યોતિષ મુજબ બુધ સૂર્ય અને ગુરુનો સંયોગ બની રહ્યો છે. જેનાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
...Tirgrahi Yog In Mithun 2025: જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો એક નિશ્ચિત સમયગાળા પર ગોચર કરીને અન્ય ગ્રહો સાથે સંયોગ બનાવે છે. જેની સીધી અસર તમામ રાશિઓ પર પડે છે. અત્રે જણાવવાનું કે જૂનમાં બુદ્ધિના દાતા બુધ અને ગ્રહોના રાજા સૂર્ય અને સુખ સમૃદ્ધિના દાતા મિથુન રાશિમાં રહેશે. આવામાં આ ગ્રહોની યુતિથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે. જેનાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ રાશિઓને આકસ્મિક ધનલાભની સાથે ભાગ્યોદયના યોગ છે. જાણો તે લકી રાશિઓ વિશે...
મેષ રાશિના જાતકોને ગુરુ સૂર્ય અને બુધનો સંયોગ શુભ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીથી લગ્ન સ્થાન પર બનવા જઈ રહ્યો છે. આથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે. કૌટુંબિક જીવનમાં જે સમસ્યાઓ હતી તે દૂર થશે અને કૌટુંબિક સભ્યો સાથે સંબંધ મજબૂત થશે. સામાજિક દાયરો વધશે. નવા પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. અપરિણીત લોકોના વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે.
કન્યા રાશિના જાતકો માટે સૂર્ય બુધ અને ગુરુનો સંયોગ કરિયર અને કારોબાર માટે શુભ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી કર્મ સ્થાન પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમને નોકરીમાં નવી તકો મળી શકે છે. કાર્યસ્થળ પર તમે તમારા કામથી લોકોના મન જીતશો. ખાસ કરીને વેપારી વર્ગ માટે સમય ખુબ અનુકૂળ રહેશે. નોકરીયાતોને પ્રગતિની તકો મળશે. વાણી પ્રભાવશાળી રહેશે જેનાથી સામાજિક અને વ્યવસાયિક જીવનમાં લાભ થશે. વેપારમાં નવા પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે. પિતા સાથે સંબંધ સારા રહેશે.
સૂર્ય બુધ અને ગુરુનો સંયોગ વૃષભ રાશિના જાતકો માટે લાભકારી રહી શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિથી ધન અને વાણીના સ્થાન પર બની રહ્યો છે. આ સમય દરમિયાન તમને આકસ્મિક લાભ થઈ શકે છે અને નોકરીમાં પ્રમોશન તથા બિઝનેસમાં લાભ થવાના યોગ છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. વ્યક્તિત્વમાં નિખાર આવશે. ધનની બચત કરવામાં સફળ રહેશો. વિચારેલી યોજનાઓ સફળ થશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.